Sunday, July 13, 2025
HomeGeneralNRI ગામ તરીકે ઓળખાતા સુરતના એના ગામમાં લૂંટારુઓ હત્યા અને લૂંટ કરીને...

NRI ગામ તરીકે ઓળખાતા સુરતના એના ગામમાં લૂંટારુઓ હત્યા અને લૂંટ કરીને ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં હત્યા, લૂંટ, તથા બળાત્કાર જેવા ગુનાઓનું પ્રમાણ દિવસે દિવસે રોકેટ ગતિએ વધી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાને પડકારતા હોય તે રીતે બેફામ લૂંટારુઓ ધોળા દિવસે લોકોને લૂંટી જાય અને સાથે હત્યા પણ કરી નાખે ત્યારે પોલીસ તંત્ર સામે સવાલ થવો સ્વાભાવિક છે. ત્યારે સુરતમાં (Surat) શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહેલા વ્યક્તિના ઘરમાંથી લૂંટ (Loot)કરીને ક્લાર્કની હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જીલ્લાના પલસાણા તાલુકામાં આવેલા અને NRIના ગામ તરીકે જાણીતા એના ગામમાં દિવાળીના સમયે જ લૂંટ સાથે હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની વિગત એવી છે કે, શિવાલિક બંગલોઝમાં આવેલા ઘર નંબર-13માં રાકેશ નાયક નામના વ્યક્તિ પરિવાર સાથે રહેતા હતા. રાકેશ અને તેમનો પરિવાર રાતે સૂઈ રહ્યો હતો ત્યારે રાતના સમયે અજાણ્યા લૂંટારુઓ તેમના ઘરના પાછળના ભાગમાંથી પ્રવેશ કરીને ઘરમાં આવ્યા. રાકેશ નાયકના રૂમમાં પ્રવેશીને લૂંટારુઓએ તેમની પાસે સોના ચાંદીના દાગીનાની માગ કરી હતી. લૂંટારુઓને જોઈ ગભરાયેલા રાકેશ નાયકે દાગીના આપી દેવાનું કહ્યું હતું. પણ કોઈને જાણ થઈ જવાના ડરથી લૂંટારુઓએ રાકેશ નાયકનું ગળું દબાવી દીધું હતું અને હત્યા કર્યા બાદ રાકેશ નાયકના ઘરમાં જે સોનાના દાગીના હતા તેની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

ઘટનાની જાણ પોલીસે કરવામાં આવતા સ્થાનિક પલસાણા પોલીસ (Palsana Police) તેમજ જિલ્લા LCB તેમજ SOG પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. રાકેશ નાયકની ઘરની આસપાસ ખેતરવાળો વિસ્તાર છે અને હાઈવે પણ પસાર થાય છે. પોલીસના માનવા મુજબ, લૂંટારુઓએ લૂંટ કરતાં અગાઉ રાકેશ નાયકના ઘરની રેકી કરી હશે. ત્યારબાદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસનું અનુમાન છે.

લૂંટ અને હત્યાનો ભોગ બનેલા રાકેશ નાયક એમની કેળવણી સંચાલિત શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જતાં. રાકેશભાઈના પરિવારમાં એક દીકરો, દીકરી, તેમની પત્ની તથા તેમની માતા સહિત છ સભ્યો સિવાલિક બંગલોઝમાં રહેતા હતા. લૂંટ સાથે હત્યાની ઘટના સામે આવતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular