Anna Hazare on Sonam Wangchuk fasting: પેપર લીક કરીને પોતાનાઓને આગળ વધારવા અને તમારા બાળકોને નિરાશ કરવા, ઘણાના સંતાનોના આપઘાત કરવા સહિતના મામલાઓથી પરેશાન લોકો માટે દિલ્હીમાં જંતર મંતરથી સોનમ વાંગચુક દ્વારા ભૂખ હડતાલ શરૂ છે. આ દરમિયાનમાં તેમના ઉપવાસ તોડાવવાના ઘણા પ્રયાસો થયા આજે સવારે તો અહીં છાવણીમાં બળ પ્રયોગ પણ જોવા મળ્યો હતો. હવે સોનમની ભૂખ હડતાલને લઈને જાીતા એક્ટિવિસ્ટ અન્ના હજારે દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે સોનમને ભૂખ હડતાલ દરમિયાન હોસ્પિટલ લઈ જવાના પછી કોઈ દુખદ પરિણામની રાહ ના જુઓ.
તેમણે કહ્યું કે, વાતચીત શરૂ કરવામાં કોઈ નુકસાન નથી અને સરકારે આ મામલાઓને લઈને વાતચીત કરવી જોઈએ.
નવી દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) ખાતે પેપર લીક (Paper Leak) સહિતની વિવિધ પરીક્ષા અનિયમિતતાઓના વિરોધમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk) દ્વારા કરવામાં આવી રહેલી ભૂખ હડતાલ (Hunger Strike) વચ્ચે હવે જાણીતા સામાજિક કાર્યકર અન્ના હજારે (Anna Hazare)ની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે સોનમ વાંગચુકની સ્થિતિ વધુ ગંભીર બને તેની રાહ જોવાને બદલે તેમની સાથે વાતચીત શરૂ કરવી જોઈએ.
અન્ના હજારેએ જણાવ્યું કે વાતચીત શરૂ કરવામાં કોઈ નુકસાન નથી અને સરકારે આ સમગ્ર મામલે સંવાદ દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે સરકારને અપીલ કરી કે સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવા જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ કોઈ દુઃખદ પરિણામની રાહ ન જોવી જોઈએ.
આ દરમિયાન દિલ્હી પોલીસ (Delhi Police)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)ના નિર્દેશો અને નિયમિત તબીબી તપાસના કાર્યક્રમ અનુસાર ડોક્ટરો સોનમ વાંગચુકની તપાસ માટે પહોંચ્યા હતા. જોકે કેટલાક પ્રદર્શનકારીઓએ તેમાં અવરોધ ઉભો કરતાં થોડી અફરાતફરી સર્જાઈ હતી. ત્યારબાદ તેમની નાજુક તબિયત અને ડોક્ટરોની સલાહને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર અને તપાસ માટે સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માં ખસેડવામાં આવ્યા હતા.
ડોક્ટરોના જણાવ્યા મુજબ લાંબા સમયથી ચાલી રહેલી ભૂખ હડતાલના કારણે સોનમ વાંગચુક નબળા પડી ગયા છે અને તેમનામાં ડિહાઇડ્રેશન (Dehydration)ના લક્ષણો જોવા મળ્યા છે. હાલ તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને વિશેષજ્ઞ ડોક્ટરો તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે.
બીજી તરફ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી જે. આંગ્મો (Geetanjali J. Angmo)એ દાવો કર્યો છે કે વાંગચુક સંપૂર્ણપણે સ્વસ્થ છે, પરંતુ અનેક વખત વિનંતી કરવા છતાં હોસ્પિટલ તંત્ર તેમની મેડિકલ રિપોર્ટ (Medical Report)ની નકલ આપી રહ્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે 20 જુલાઈએ યોજાનાર સંસદ કૂચ (Parliament March) અગાઉ નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ જ યોજાશે અને સોનમ વાંગચુક પણ તેમાં ભાગ લેશે.
ગીતાંજલી આંગ્મોએ હોસ્પિટલ પ્રશાસનને લેખિતમાં જણાવ્યું છે કે તેમની મંજૂરી વિના સોનમ વાંગચુકને કોઈપણ દવા કે તબીબી સારવાર આપવામાં ન આવે. તેમણે હોસ્પિટલમાં પારદર્શિતાના અભાવનો આક્ષેપ કરતાં વાંગચુકને હોસ્પિટલમાંથી રજા આપવાની પણ માંગ કરી છે.
તેમણે હોસ્પિટલની બહાર તૈનાત ભારે પોલીસ બંદોબસ્ત અંગે પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પરિવારના સભ્યોને મોબાઇલ ફોન અંદર લઈ જવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી, જેના કારણે જેલ જેવી સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે.
ગીતાંજલી આંગ્મોના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ પરિવારને જાણ કરી હતી કે સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમ (Potassium)નું સ્તર એક દિવસ અગાઉના 4.3થી ઘટીને 2.9 થયું છે. જોકે તેમણે આરોપ લગાવ્યો કે હોસ્પિટલ આ અંગેની મેડિકલ રિપોર્ટ આપવાનો ઇનકાર કરી રહી છે.
સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહેલા ડૉ. સતીશ લાંબા (Dr. Satish Lamba)એ પણ જણાવ્યું કે વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમને તેમની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો અને નિષ્ણાત તબીબોની સલાહના આધારે જ શનિવારે સવારે સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.








