Monday, January 20, 2025
HomeGujaratSuratસુરતમાં એક જ વિસ્તારના 45 અને 18 વર્ષના યુવાનને આવ્યો હાર્ટ એટેક

સુરતમાં એક જ વિસ્તારના 45 અને 18 વર્ષના યુવાનને આવ્યો હાર્ટ એટેક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: ગુજરાતમાં રોજ-બરોજ હાર્ટ એટેકના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. પરંતું છેલ્લા કેટલાક સમયથી યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બનતા જીવ ગુમાવી રહ્યા છે. હાલ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારામાં નાની વયના યુવાનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં (Surat) એક જ દિવસે એક જ વિસ્તારમાં રહેતા બે વ્યક્તિ હાર્ટ એટેક (Heart Attack) આવતા મોતને ભેટ્યા છે. સુરતમાં 18 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના, સુરતમાં મહિલા યોગ કરતાં કરતાં ઢળી પડી

- Advertisement -

સુરતમાં ખોડિયારનગરમાં રહેતા 18 વર્ષીય કમલેશ નામનો યુવક સવારના સમયે ઊંધમાં હતો તે દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી આ અંગેની જાણ પરિવારજનોને કરી હતી. કમલેશ બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબીએ કમલેશને મૃત જાહેર કર્યો હતો. કમલેશને નાની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કમલેશના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. કમલેશને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.

આ પણ વાંચો : જામનગરના નામાકિંત હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટરનું હૃદય રોગના હુમલાથી મોત

બીજી બાજુ ખોડિયાર નગરમાં જ રહેતા 45 વર્ષીય નઝીફ ખાનનું પણ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. નઝીફભાઈને સાંજથી છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. નઝીફભાઈ રાત્રે સુઈ ગયા બાદ સવારે જાગ્યા જ ન હતા. જેથી પરિવારજનો નઝીફભાઈને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. નફીઝભાઈને પણ કોઈ પ્રકારની શારીરિક બીમારી ન હતી. બે દિવસ પહેલા પણ જામનગરમાં એક જાણીતા તબીબને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. જામનગરમાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર ગૌરવ ગાંધીને પણ ઊંઘમાં હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

Tag: Surat Heart Attack News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular