Tuesday, September 8, 2026
HomeGeneral"જ્યારે 87 માંથી 86 કેસોમાં જામીન મળ્યા ત્યારે એક પર મૌન શા...

“જ્યારે 87 માંથી 86 કેસોમાં જામીન મળ્યા ત્યારે એક પર મૌન શા માટે?” અલ્હાબાદ હાઈકોર્ટ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના જામીન પર નિર્ણય ન આવવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે આઝમ ખાનને 87માંથી 86 કેસમાં જામીન મળી ગયા છે, તો એક કેસમાં 137 દિવસ વીતી ગયા બાદ પણ અલ્હાબાદ હાઈકોર્ટે જામીન પર નિર્ણય કેમ ન લીધો? તીખા નિરીક્ષણ કરતા કોર્ટે કહ્યું કે, આ ન્યાયની મજાક છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો હાઇકોર્ટ નિર્ણય નહીં લે તો અમે આ મામલે હસ્તક્ષેપ કરીશું. આ કેસની સુનાવણી હવે ૧૧ મેના રોજ થશે.



જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી.આર.ગવઈની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરી હતી. યુપી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે સાંજે 6.30 વાગ્યા સુધી આ મામલે સુનાવણી કરી હતી અને હાઈકોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો હતો, તેથી સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી હાલ પૂરતી ન કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટ સપાના પૂર્વ મંત્રી આઝમ ખાનની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. આ પહેલા કોર્ટે આઝમના જામીન પર સુનાવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી. કપિલ સિબ્બલે આઝમ વતી અરજી કરી હતી. સિબ્બલે કહ્યું હતું કે, કોર્ટે જામીન અરજી પર આદેશ સુરક્ષિત કર્યા પછી ચુકાદો લાંબા સમયથી પેન્ડિંગ છે. સિબ્બલે કહ્યું કે આઝમ ખાન જેલમાં છે, જ્યારે હાઈકોર્ટે 4 ડિસેમ્બરે તેમની જામીન અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. તેથી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવી જોઈએ અને યોગ્ય આદેશો આપવા જોઈએ.



વર્ષ 2017થી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ આઝમ ખાનની પૂછપરછ કરવામાં આવી હતી. 2019માં રામપુરથી લોકસભામાં ચૂંટાયા બાદ તેમની સામે 87 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2020માં તેમને સીતાપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. લાંબી કાનૂની લડાઈને કારણે આઝમ ખાનને 86 કેસમાં જામીન મળી ગયા, પરંતુ શત્રુ સંપત્તિ સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી.

- Advertisement -

ગયા વર્ષે 4 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ચાર મહિના બાદ આઝમ ખાને વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આઝમે આરોપ લગાવ્યો છે કે યુપી સરકાર રાજકીય બદલાની ભાવનાને કારણે જાણી જોઈને વિલંબ કરી રહી છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular