Tuesday, May 26, 2026
HomeGujaratચિદમ્બરમ ગુજરાતની મુલાકાતે: જનતાને પરિવર્તન લાવવા માટે કરી અપીલ

ચિદમ્બરમ ગુજરાતની મુલાકાતે: જનતાને પરિવર્તન લાવવા માટે કરી અપીલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસનાં દિગ્ગજ ગણાતા નેતા પી.ચિદમ્બરમે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે મોરબી દુર્ઘટનાને લઈને સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ ઘટનામાં કોઈ અધિકારી કે સરકારે માફી માંગી નથી. મોરબી દુર્ઘટનાની જવાબદારી કોઈએ લીધી નથી. હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દાઓ ઉઠાવે.”

આ  ઉપરાંત તેમણે કહ્યું હતું કે, “ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે. મારી ગુજરાતની જનતાને અપીલ છે કે સરકાર બદલવા માટે મત આપો. મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક અને હૃદયપૂર્વકની સંવેદનાઓ વ્યક્ત કરું છું. ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે. મને આશા છે કે હાઈકોર્ટ આ પ્રશ્નો અને અન્ય પ્રશ્નો પણ ઉઠાવશે અને જવાબો મેળવશે. મોરબી ઘટના અંગે જવાબદારી સ્વીકારીને કોઈએ રાજીનામું આપ્યું નથી. આટલી ભયાનક દુર્ઘટના પછી કોઈ માફી નહીં અને કોઈ રાજીનામું નહીં ગુજરાતની જનતા માટે વધુ શરમજનક છે.”

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ઉચ્ચ વિકાસ, સમૃદ્ધિ અને સામાજિક સમરસતાના ભ્રમ પાછળ એવા કદરૂપી તથ્યો છે જે કાળજીપૂર્વક છુપાયેલા છે, પરંતુ તે ગુજરાતના લોકો સારી રીતે જાણે છે. રાજ્ય જીડીપીનો વિકાસ દર 2017-18 થી ઘટી રહ્યો છે. 2020-21માં રાજ્યનું કુલ દેવું રૂ 2,98,810 કરોડ અથવા GSDPના 18.04 ટકા હતું. ગુજરાતમાં ભારતની 5 ટકા વસ્તી છે. સ્ત્રી અને પુરુષ 943ના અખિલ ભારતીય ગુણોત્તરની સામે 919 છે. શ્રમ સહભાગિતા દર 41.0 ટકા છે. આમાંથી, સ્ત્રી કાર્ય ભાગીદારી દર 23.4 ટકા છે. કુલ કામદારોમાંથી 50 ટકા ખેડૂત અને ખેતમજૂર છે.

ઝૂંપડપટ્ટીમાં પરિવારોની કુલ સંખ્યા 3,45,998 છે અને ઝૂંપડપટ્ટીની કુલ વસ્તી 16,80,000 છે. છેલ્લા પ્રકાશિત ડેટા મુજબ, શિશુ મૃત્યુ દર (IMR) 29 (દર 1000 જીવંત જન્મો) છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરનો મૃત્યુદર 31 છે. માતૃત્વ મૃત્યુ દર (એમએમઆર) 75 (દર 1,00,000 જીવંત જન્મો). ગુજરાતમાં છૂટક ખાદ્ય ફુગાવો દેશમાં સૌથી વધુ છે. અહેવાલો અનુસાર ઓગસ્ટ 2022 માં તે 11.5 ટકા હતો. CMIE ડેટા અનુસાર, 20-24 વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર ગુજરાત 12.49 ટકા છે. અશિક્ષિત યુવાનો અને ઓછા ભણેલા યુવાનોમાં બેરોજગારી ખૂબ વધારે છે.

રાજ્ય સરકારને તલાટીની 3400 જગ્યાઓ માટે 17 લાખ અરજીઓ મળી હતી. ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે. દાખલા તરીકે,

- Advertisement -

ગુજરાતમાં બાંધકામ મજૂરનું વેતન 285 રૂપિયા પ્રતિ દિવસ છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી એક જ સરકાર હોવાને કારણે ગુજરાતે સહન કર્યું છે. મારી ગુજરાતની જનતાને અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો.”

સાભાર: તોફીક ઘાંચી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular