નવજીવન ન્યુઝ.કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં રવિવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરના બાબુપુરવા પોલીસ સ્ટેશન વિસ્તારના તત્મિલ ચોકડી પર એક ઝડપભેર બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. આ રોડ પર અકસ્માત જોઈને ત્યાંથી પસાર થતા લોકોના આત્મા કંપી ઉઠ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે સવારે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
બેકાબૂ બનેલી ઈલેક્ટ્રિક બસે રોડ પરથી પસાર થતા અનેક રાહદારીઓને કચડી નાખ્યા હતા. અંતે બેકાબૂ ઈ-બસ ટ્રાફિક બૂથ તોડીને ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના ઘંટાઘરથી તતમિલ ચોકડી સુધીની છે.
#Police_Commissionerate_Kanpur_Nagar के घण्टाघर से टाटमील चौराहे के बीच हुयी घटना व की गयी कार्यवाही के सम्बन्ध में पुलिस उपायुक्त पूर्वी @dcpekanpur द्वारा दी गयी बाइट।@Uppolice pic.twitter.com/QpGho35a0M
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) January 30, 2022
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. આ ઘટના બાબુપુરવા પોલીસ સ્ટેશન વિસ્તારના તાતમિલ ચોકડી પર બની હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ)એ જણાવ્યું હતું કે, “ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. મૃત્યુઆંક 5 થી 6 હોઈ શકે છે. બસ ડ્રાઇવરની શોધ ચાલી રહી છે. અકસ્માતમાં ત્રણ વાહનો અને ઘણી બાઇક હતી. નજીકમાં રહેતા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. બાકીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું કે, કાનપુર બસ દુર્ઘટનામાં ઘણી જાનહાનિના સમાચારથી ખૂબ દુઃખ થયું છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.
कानपुर में हुई बस दुर्घटना में कई लोगों के हताहत होने की खबर से अत्यंत दुःख हुआ है। इस घटना में अपने प्रियजनों को खोने वाले परिवारों के प्रति मेरी गहन शोक-संवेदनाएं। मैं घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
— President of India (@rashtrapatibhvn) January 31, 2022
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, “કાનપુરથી ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય.”
कानपुर से सड़क हादसे का बहुत ही दुखद समाचार प्राप्त हुआ।
मृतकों के परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि घायलों को जल्द स्वास्थ्य लाभ मिले।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 30, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












