Monday, May 19, 2025
HomeGujaratSuratહર્ષ સંઘવીના વિસ્તારમાં પણ ગુંડાગીરી બેફામ, જાહેરમાં મહિલાઓ પર હુમલો

હર્ષ સંઘવીના વિસ્તારમાં પણ ગુંડાગીરી બેફામ, જાહેરમાં મહિલાઓ પર હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત : સુરતના (Surat) પાંડેસરા વિસ્તારમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં યુવક અને તેના પરિવારજનો પર હૂમલાની ઘટના બની છે. આ પૂરી ઘટનાની વિગત એવી છે કે ત્રણ હૂમલાખોર નંદલાલ મિશ્રા, રાજુ યાદવ અને સત્યમ રાજપૂત હથિયાર સાથે ગાયત્રી સોસાયટીમાં રહેતા સોનુ ભારદ્વાજ પર હૂમલો કરવા પહોંચ્યા હતા. જોકે સોનુએ તેના મિત્ર શ્રાવણ સોલંકીને ફોન કરીને ગાયત્રી સોસાયટી બોલાવ્યો હતો. શ્રવણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને તેની હૂમલાખોરો સાથે બોલાચાલી થઈ હતી.

થોડી વારમાં ઉશ્કેરાયેલા ત્રણેય આરોપીઓએ શ્રવણ સોલંકી પર પાઈપ વડે હૂમલો કરી દીધો હતો. શ્રવણ આ હૂમલામાં ગંભીર રીતે ઘવાયો હયો અને આ હૂમલાના ઘટનાની જાણ તેની માતા અને બહેનને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. ઘટનાસ્થળે પહોંચીને માતા-બહેન શ્રવણને બચાવવા વચ્ચે પડ્યાં હતાં. આ દરમિયાન ઉશ્કેરાયા હૂમલાખોરોએ પાઈપ વડે શ્રાવણના માતા-બહેન પર પણ હૂમલો કરી દીધો હતો. શ્રાવણના માતા-બહેન પણ આ હૂમલામાં ગંભીર રીતે ઘવાયા હતાં. આ પૂરી ઘટના બની ત્યારે અનેક લોકો હાજર હતા પરંતુ કોઈ પણ શ્રવણ કે તેના માતા-બહેનને બચાવવા વચ્ચે પડ્યા ન હતા અને હૂમલો કર્યા બાદ આ ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. તે પછી શ્રવણ અને તેના માતા-બહેનને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ પૂરી ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ (Video Viral) થતા સમગ્ર પાંડેસરા વિસ્તારમાં ખોફનો માહોલ પ્રસર્યો હતો.

- Advertisement -

આ ઘટનાને લઈને શ્રવણ અને તેના પરીવારે હૂમલાખોરો સામે પાંડેસરા પોલીસ (Pandesara Police) સ્ટેશનમાં નંદલાલ મિશ્રા, રાજુ યાદવ અને સત્યમ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પાંડેસરા પોલીસે અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીમાંથી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઘરપકડ કરી હતી. જ્યારે તેમાંથી એક આરોપી રાજુ યાદવ હજુય ફરાર છે, તેની શોધખોળ ચાલી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular