Saturday, July 4, 2026
HomeGeneral'દુખદ': માતાએ બાળકની પીઠ પર પરિવારની માહિતી લખી, યુક્રેનના આ પરિવારને મૃત્યુનો...

‘દુખદ’: માતાએ બાળકની પીઠ પર પરિવારની માહિતી લખી, યુક્રેનના આ પરિવારને મૃત્યુનો ડર હતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયન સૈન્યના વધતા આક્રમણ વચ્ચે, ઘણા યુક્રેનિયન પરિવારો માર્યા જવાનો ડર રાખે છે. હવે તેમણે પોતાના બાળકોના શરીર પર પોતાના પરિવારની માહિતી લખવાનું શરૂ કરી દીધું છે. આ ચોંકાવનારી ઘટનાની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ બાળકોની તસવીરો અનેક પત્રકારોએ ટ્વીટ કરીને યુદ્ધની દુર્ઘટનાને ઉજાગર કરી છે. યુક્રેનિયન માતાઓ તેમના બાળકોના શરીર પર તેમના પરિવારના સંપર્કો લખી રહી છે, જેથી જો તેમની હત્યા કરવામાં આવે અને તેમના બાળકોને બચાવવામાં આવે, તો તે સંપર્કો તેમના કામમાં આવી શકે.



ટ્વિટર પર ફ્રીલાન્સ પત્રકાર, એનેસ્તાસિયા લપતિનાએ આવા જ એક ફોટો સાથે લખ્યું છે કે યુરોપ હજી પણ ગેસ ની ચર્ચા કરી રહ્યું છે, આ ટ્વિટમાં યુક્રેનની એક નાની બાળકીની પીઠ પર લખેલું નામ અને ટેલિફોન નંબર દેખાય છે, જે તેની માતાએ લખ્યો છે. બાળકીનો આ ફોટો ત્રણ દિવસ પહેલા તેની માતા સાશા માકોવીયે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ સ્થાનિક ભાષામાં છે, પરંતુ ગૂગલ ટ્રાન્સલેશન પરથી જાણવા મળે છે કે મહિલાએ પોતાની દીકરી વેરાનું નામ લખવાનું નક્કી કર્યું છે, જેથી જો તેને કંઈ થાય તો કોઈ તેનો જીવ બચાવી શકે.


અન્ય એક ફોટોમાં માકોવિયેએ જણાવ્યું હતું કે, પરિવાર સુરક્ષિત છે પરંતુ હજુ સુધી એક કાગળ ફેંકી શક્યો નથી જેના પર કેટલીક માહિતી લખવામાં આવી છે. બાળકીના ફોટો પર પ્રતિક્રિયા આપતા એક ટ્વિટર યુઝરે લખ્યું, “આ હ્રદયસ્પર્શી છે, મારી પાસે શબ્દો નથી.”



રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધની ડરામણી તસવીરો સામે આવી છે. યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. ગયા અઠવાડિયે, ધ ગાર્ડિયનએ અહેવાલ આપ્યો હતો કે રશિયન સૈન્ય બચવા માટે બાળકોનો “માનવ કવચ” તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેર્નિહાઈવથી થોડે દૂર આવેલા નોવી બૈકીવ ગામમાં બાળકોથી ભરેલી બસોને ટેન્કોની સામે મૂકવામાં આવી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular