Tuesday, June 30, 2026
HomeGujaratઆસારામને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં, આજીવન કેદ પર રોક લગાવવાનો ઇનકાર

આસારામને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં, આજીવન કેદ પર રોક લગાવવાનો ઇનકાર

- Advertisement -

POCSO case Asaram Supreme Court: સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામ બાપુ (Asaram)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી તાત્કાલિક કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં તેની દોષિત ઠેરવતી અને આજીવન કેદની સજાને યથાવત રાખતા રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ કરાયેલી અરજી પર રાજસ્થાન સરકારને નોટિસ પાઠવી છે. જોકે, કોર્ટે હાલ તેની સજા પર રોક લગાવવાની માંગ સ્વીકારી નથી.

જસ્ટિસ એમ.એમ. સુન્દરેશ (Justice M.M. Sundresh) અને જસ્ટિસ શીલ નાગૂ (Justice Sheel Nagu)ની વેકેશન બેન્ચે સ્પષ્ટ કર્યું કે, માત્ર ગંભીર આરોગ્ય સંકટ અથવા જીવનને તાત્કાલિક જોખમ જેવી સ્થિતિમાં જ જામીન અથવા સજા પર રોક લગાવવાની માંગ પર વિચાર કરવામાં આવશે. સાથે જ કોર્ટે જેલ પ્રશાસનને આસારામને મળી રહેલી તબીબી સારવાર યથાવત ચાલુ રાખવા પણ નિર્દેશ આપ્યો છે.

- Advertisement -

આસારામ તરફથી સિનિયર એડવોકેટ ડી. સેશાદ્રી નાયડૂ (D. Seshadri Naidu)એ દલીલ કરી હતી કે તેઓ 80 વર્ષથી વધુ ઉંમરના છે અને અનેક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે તેમના અસીલને સોશિયલ મીડિયા ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ, પીડિતા તરફથી રજૂ થયેલા વકીલે આ દલીલોનો વિરોધ કર્યો હતો અને કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં સગીર પીડિતાઓ પણ સામેલ હતી. સુનાવણી દરમિયાન રાજસ્થાન સરકાર તરફથી કોર્ટને જણાવાયું હતું કે 2 જૂને આસારામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમના જીવને કોઈ તાત્કાલિક જોખમ હોવાનું સામે આવ્યું નહોતું.

સુપ્રીમ કોર્ટે સજા સ્થગિત કરવાની માંગ કરતી અરજી પર રાજસ્થાન સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં આસારામની તબિયત ગંભીર રીતે બગડશે તો તાત્કાલિક સુનાવણી માટે અરજી કરી શકાશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે જોધપુરની વિશેષ POCSO કોર્ટે એપ્રિલ 2018માં આસારામને તેના આશ્રમમાં વર્ષ 2013 દરમિયાન એક યુવતી પર દુષ્કર્મના કેસમાં બાકીના જીવન માટે કારાવાસની સજા ફટકારી હતી. તેને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો ઉપરાંત POCSO અધિનિયમ હેઠળ પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મ સહિતની મોટાભાગની IPC કલમોમાં તેમની દોષિતતા અને આજીવન કેદની સજા યથાવત રાખી હતી, જ્યારે POCSO અધિનિયમ હેઠળની દોષિતતા રદ કરી હતી. સાથે જ સહઆરોપી શરદ અને શિલ્પીને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular