Friday, April 17, 2026
HomeGeneralમુંબઈમાં પ્રતિબંધો સાથે નવું વર્ષ આવશે, ઓમિક્રોનના ભય વચ્ચે સાંજે 5 વાગ્યા...

મુંબઈમાં પ્રતિબંધો સાથે નવું વર્ષ આવશે, ઓમિક્રોનના ભય વચ્ચે સાંજે 5 વાગ્યા પછી જાહેર સ્થળે ‘નો એન્ટ્રી’

- Advertisement -

નવજીવન. મુંબઈઃ દેશમાં ઓમિક્રોનનો વિનાશ હવે દેખાવા લાગ્યો છે. ઘણા રાજ્યો પ્રતિબંધો તરફ આગળ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના કેસોમાં અચાનક તેજીથી મુશ્કેલીઓ વધી છે. દરમિયાન મુંબઈમાં લોકોને સાંજે 5 થી બીજા દિવસે 5 વાગ્યા સુધી બીચ, ખુલ્લા મેદાનો, બગીચાઓ, ઉદ્યાનો અથવા અન્ય સમાન જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ આદેશ જારી કર્યો હતો. આ આદેશ 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.



કોરોના વાયરસના રોગચાળાથી ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ પણ સૌથી વધુ છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) એસ ચૈતન્યએ આ અંગે આદેશ જારી કર્યો હતો, જે શુક્રવારે બપોરે 1 વાગ્યાથી અમલમાં આવ્યો હતો અને જો તેને પાછો ખેંચવામાં નહીં આવે તો તે 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

- Advertisement -

“કોરોનાના કેસોમાં વધારો અને નવા ઓમિક્રોન વેવના ઉદભવથી હજી પણ શહેરમાં કોવિડ-19 રોગચાળાનું જોખમ છે,” આદેશમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન અને આરોગ્ય અને વાયરસના સંક્રમણ માટેના જોખમોને રોકવા માટે મનાઈ હુકમ જારી કરવામાં આવ્યો છે. નવા વર્ષ અગાઉ અધીકારીઓએ તમામ મોટા સમારંભો પર જરૂરી પ્રતિબંધો લાદ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને ખુલ્લા અથવા બંધ સ્થળોએ કાર્યક્રમોમાં એકઠા થતા લોકોની સંખ્યા ઘટાડીને ૫૦ કરી દીધી છે. અગાઉ લગ્ન સમારંભો અથવા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક મેળાવડાઓમાં બંધ સ્થળોએ ખુલ્લી જગ્યાઓમાં 100 વ્યક્તિઓ અને 250 વ્યક્તિઓને શામેલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કારમાં ફક્ત ૨૦ વ્યક્તિઓ જ હાજર રહી શકે છે.



મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના 5368 કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા નોંધાયેલા કેસોથી 1468 વધારે છે. આકારણે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 66,70,754 થઈ ગઈ. રાજ્યમાં હાલ 18,217 સક્રિય કેસ છે. બીજી તરફ રાજ્યમાં ગઈકાલે ઓમિક્રોન વેરિએન્ટના 198 નવા કેસ નોંધાયા હતા, જેમાં એકલા મુંબઈમાં 190 કેસ નોંધાયા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular