નવજીવ ન્યૂઝ.ત્રિપુરાઃ ત્રિપુરામાં સતત બદલાતા રાજકીય ઘટનાક્રમમાં શનિવારે બિપ્લબ કુમાર દેવના રાજીનામા બાદ માણિક સાહા હવે ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી બનશે. નોંધપાત્ર વાત એ છે કે, બિપ્લબ દેબની કાર્યશૈલીથી ઘણા ધારાસભ્યો નારાજ થયા છે, આ કારણે ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. માણિક સાહા એક મહિના પહેલા જ રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેઓ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ રાજ્યમાં રાજ્યસભાની એક બેઠક પણ ખાલી થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બિપ્લબ દેબને આ રાજ્યસભા સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવે ટ્વીટ કરીને માણિક સાહાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે માનિક સાહાજીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ.
Congratulations and best wishes to @DrManikSaha2 ji on being elected as the legislature party leader.
I believe under PM Shri @narendramodi Ji's vision and leadership Tripura will prosper. pic.twitter.com/s0VF1FznWW
— Biplab Kumar Deb (@BjpBiplab) May 14, 2022
જણાવી દઈએ કે બિપ્લબ કુમાર દેવે આજે રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું સોંપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તેમના માટે પાર્ટી સર્વોપરી છે. બિપ્લબ કુમાર દેવે તેમના રાજીનામા પર કહ્યું કે પાર્ટી ઈચ્છે છે કે તેઓ સંગઠનની મજબૂતી માટે કામ કરે.ત્રિપુરામાં આવતા વર્ષે એટલે કે માર્ચ 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જ્યારે છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી. ત્રિપુરામાં 60 સભ્યોની વિધાનસભા છે. 43 ટકા મતો સાથે, ભાજપે રાજ્યમાં પ્રથમ વખત 36 બેઠકો જીતીને સરકાર બનાવી અને ત્યાં લાંબા સમયથી ચાલતા ડાબેરી શાસનનો અંત લાવ્યો. તે ચૂંટણીમાં ડાબેરી પક્ષોને માત્ર 16 બેઠકો મળી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











