નવજીવન ન્યૂઝ. ઉત્તરકાશીઃ ઉત્તરાખંડમાં (Uttarakhand) ગુરુવારે હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થયાના અહેવાલો સામે આવ્યા છે. 5 મુસાફરોના આ ઘટનામાં મોત થયા છે. જ્યારે બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ઉત્તરકાશીમાં (Uttarkashi) આવેલા ગંગાનીમાં થયો હતો.
ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 6 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે જ્યારે 2 વ્યક્તિ ઘાયલ હોવાની વિગતો સામે આવી છે. ઘાયલ થયેલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું ત્યારે ગંગાનીમાં નાગમંદિર નજીક આ ઘટના બની હતી. આ હેલિકોપ્ટર કોઈ પ્રાઈવેટ કંપનીનું હેલિકોપ્ટર હોવાનું સામે આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ થયું છે. ચાર ધામોના રૂટને આ કારણે ઘણી અસર થઈ છે. તોફાન અને વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા ચેતવણીઓ પણ આપવામાં આવી હતી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796