Monday, May 19, 2025
HomeGeneralગોંડલના ચકચારી અમિત ખુંટ કેસમાં SP હિમકરસિંહે કર્યો મોટો ખુલાસોઃ FIR માટે...

ગોંડલના ચકચારી અમિત ખુંટ કેસમાં SP હિમકરસિંહે કર્યો મોટો ખુલાસોઃ FIR માટે સગીરા જ કેમ નક્કી કરાઈ? જાણો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ ગોંડલમાં (Gondal) તાજેતરમાં સગીરા સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો જોકે જેના પર આરોપ લાગ્યો તે યુવક અમિત ખુંટે આપઘાત કર્યો હોવાની પણ ઘટના સામે આવી જે પછી આ કેસમાં ચકચાર મચી ગઈ. મૃતક પાસેથી સ્યુસાઈટ નોટ મળી જેમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા સામે આરોપ લાગ્યા. આ મામલો વધુ ગરમ થવા લાગ્યો. તેવામાં હવે અનિરૂદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રાજકોટમાં (Rajkot) રેલી નીકળી અને આવેદન આપવામાં આવ્યું હતું. આ મામલામાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે આજે ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કેસને લઈને વાત કરી હતી અને કેટલાક મોટા ખુલાસા થયા હતા.

SP હમરકસિંહે કર્યા આ મોટા ખુલાસા

- Advertisement -


આ અંગે SP હમરકસિંહે પત્રકારોને જાણકારી આપતા કહ્યું હતું કે, ચાર વ્યક્તિઓ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પુજા રાજગોર અને એક સગીરા સામે ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ હાથ ધરાઈ હતી. બંને યુવતીઓની 6 કલાકની લાંબી પુછપરછ કરાઈ ત્યારે તેમણે પોતાના દ્વારા ઘડવામાં આવેલા કાવતરાની વિગતો આપી હતી. જેમાં ગત તા. 2-5-25એ રાજકોટમાં પોક્સો દાખલ થઈ હતી. તેના દસ દિવસ પહેલા એક એક્સ નામના વ્યક્તિ તેમને મળે છે અને કેવી રીતે આમને ફસાવવાના છે તે કહ્યું અને તેમને પૈસા મળશે, નોકરી મળશે અને તેમની લાઈફ સેટ થઈ જશે તેવું કહી વાત કરી હતી. સાથે બે વકીલો સંજય પંડિત અને દિનેશ પાઠક નામના બે વકીલો જ્યારે પણ આ બનાવ બનશે ત્યારે તમામ સહાય આપવા રાજકોટમાં હાજર રહેશે. તેઓ જો ફરિયાદ ના લે તો મીડિયાને બોલાવી પોલીસ પર પ્રેશર આપશે. ત્રીજી પણ મહિલા હતી પરંતુ તે પુખ્ત વયની હતી એટલે એક સગીર વયની છોકરીને નક્કી કરવામાં આવી અને આ કાવતરું રચાયું જેથી જો આ કેસમાં પોક્સો લાગે તો જામીન જલદીથી મળે નહીં. ગઈ કાલે તેમને કોર્ટમાં રજૂ કરતા સગીરાને જુવેનાઈલ હોમમાં વડોદરા મોકલવામાં આવ્યા અને પુજા રાજગોરના બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે. દિનેશ અને સંજય નામના વકીલની ધરપકડ પણ કરી છે. તેમને કોર્ટમાં રજૂ કરાશે. આ બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. સંજય પંડિત સામે રેપ, એટ્રોસિટી, ખંડણીની ફરિયાદ પણ છે. દિનેશ પાઠક સામે છેતરપીંડી, મારામારી સહિતની ફરિયાદો પણ થઈ છે.

આ મામલે પોલીસ હજુ એક્સ નામના વ્યક્તિની શોધમાં છે. પોલીસ માને છે કે તે એક મહત્વની વ્યક્તિ આ કેસમાં છે. એક્સ નામનો શખ્સ પકડાશે અને તેની સાથે અને પાછળ કોણ છે તે બધું ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેમ છે. ઈન્સ્ટાગ્રામ પર અમિતની પોસ્ટને લાઈક કરીને તેઓ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને ઈન્સ્ટાગ્રામ પર જ્યારે ચેટ કરવાની હોય ત્યારે આ એક્સ નામનો શખ્સ ચેટિંગ કરતો હતો અને ફોન પર વાત કરવાની આવે ત્યારે સગીરા કરતી હતી. આમ અમિતનો વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો જાણો ટુંકમાં

- Advertisement -


ગોંડલમાં અમિત ખૂંટ નામ એક યુવક સામે દુષ્કર્મનો આરોપ લાગે છે. રાજકોટમાં રહેતી 17 વર્ષીય સગીરાએ આક્ષેપ કર્યો હતો કે અમિત સાથે તે સોશિયલ મડિયામાં સંપર્કમાં આવી અને તેને મળવા જાય છે અને જ્યુસ પીવા જાય છે. ફરિાયાદ પ્રમાણે તેણીને ગોંડલ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે સાથે રિબડાના અમિત ખુંટ સામે ફરિયાદ દાખલ થાય છે. આ મામલે પોલીસ તપાસ શરૂ થાય તે પહેલા જ અમિત ખુંટ આપઘાત કરી લે છે. જોકે આપઘાત બાદ સ્યુસાઈટ નોટ મળે છે. જેમાં બે યુવતી સહિત રિબડાના અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આક્ષેપ કરવામાં આવે છે કે તેમના ત્રાસના કારણે જીવન ટુંકાવ્યું છે. સાથે પાટીદાર અગ્રણી ગોંવિદભાઈ પણ અનિરૂદ્ધસિંહ સામે આક્ષેપો કરે છે. આમ મામલો રાજકીય બની જાય છે. આ મામલે અનિરૂદ્ધસિંહ રિબડાનું પણ નિવદેન આવે છે કે, આ ષડયંત્ર જયરાજસિંહ જાડેજાનું છે. જોકે આ મામલે ગોંડલ તાલુકામાં અનિરૂદ્ધસિંહ રિબડા રાજદીપસિંહ રીબડા અને બે યુવતીઓ સામે ફરિયાદ દાખલ થાય છે. જોકે ગઈકાલથી સોશિયલ મિડિયામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં કેટલીક પોસ્ટ પણ સામે આવી. તેવામાં આજે રાજકોટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રેલી નીકળી. ગઈકાલે આ મામલે પુજા રાજગોર નામની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને એક સગીરા આ મામલે કાયદાના સંઘર્ષમાં આવી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 9079

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular