Thursday, June 4, 2026
HomeGujaratSuratસુરતમાં 18 પનીર વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગનો દરોડો

સુરતમાં 18 પનીર વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગનો દરોડો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ રાજ્યમાં અવાર-નવાર ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થતું હોવાના બનાવો સામે આવતા હોય છે. તાજેતરમાં જ નડિયાદમાંથી કેમિકલમાંથી નકલી હળદર બનાવલી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્યારે ગઈકાલે રાજકોટની આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે સુરતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર પનીર વેક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં શંકાસ્પદ પનીરનો જથ્થો પહોંચે તે પહેલા જ રસ્તામાંથી જ એક પીકઅપ વાનમાંથી 1600 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે વ્યક્તિ આ જથ્થો લઈને આવ્યો હતો તેની પુછપરછ કરતાં પનીર ભેળસેળ વાળુ હોવાનો અને અન્ય જિલ્લાઓમાં પણ આ પનીર જતું હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે રાજકોટના આરોગ્ય વિભાગના દરોડા બાદ સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ જાગ્યું હતું.

- Advertisement -

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સુરતના આઠ ઝોનમાં 18 પનીરના વિક્રેતાઓને દરોડો કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે દરોડો કરીને પનીરના સેમ્પલ લીધા હતા. આ તમામ સેમ્પલનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવશે. જેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે. જો આ રિપોર્ટમાં પનીર નકલી કે ભેળસેવાળુ હોવાનું સાબિત થશે તો પનીર વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ દંડ પણ ફટકારવામાં આવશે. સુરતમાં આજે ઠેર-ઠેર પનીર વિક્રેતાને ત્યાં દરોડા પડતાં ડેરી ઉત્પાદનનું વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular