Thursday, April 16, 2026
HomeBusinessગોલ્ડ સિલ્વર રેશિયો ૯૦નો થતા ચાંદીના ભાવ શું ૯૦ ડોલર થાય?

ગોલ્ડ સિલ્વર રેશિયો ૯૦નો થતા ચાંદીના ભાવ શું ૯૦ ડોલર થાય?

- Advertisement -

જાન્યુઆરી ૨૦૨૪મા ચાંદીના ભાવ ૨૪ ડોલરના તળિયે બેઠા ત્યારે આવું માનવા કોઈ તૈયાર નાં હતું

માર્ચ ૨૦૨૦મા કોવિદ મહામારી આવી ત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૨૪.૬૫ની વિક્રમ ઉંચાઈએ ગયો હતો

ચાંદીના પુરવઠાની તીવ્ર અછત વર્તાઈ રહી છે બજાર ટાઈમ બોમ્બ પર બેઠી છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ગોલ્ડ સિલ્વર રેશિયોમાં (Gold Silver Ratio) હાલ જે હાલમાં ૯૦ આસપાસ છે તેમાં મોટી અફડાતફડી જોવાઈ રહી છે, સોના (Gold) ચાંદીની (Silver) રોજીંદી વધઘટ, આ રેશીયોમાં પ્રતિબિંબ થાય છે. પરંતુ દર વખતે આવું નથી બનતું. આ રેશિયો જુદાજુદા સમયે ઇતિહાસમાં બનતી ઘટનાઓનું હંમેશા પ્રતિબિંબ પાડે છે. જુદાજુદા સમયે વિશ્વભરની સરકારો તેમની નાણાકીય સ્થિરતા માટે જે કાઈ પગલાં લે, તેની અસર પણ આ રેશિયોમાં જોવાતી હોય છે. કરન્સી અવમુલ્યન, ડીફલેશન (ફુગાવા કરતા વિપરતી સ્થિતિ) અને કરન્સી મુલ્યમાં થતા બદલાવથી ચિંતિત મોટાભાગના ટ્રેડરો રેશિયો બજારમાં ખેલ પાડતા હોય છે. દેશનાં સત્તાવાર કાગળિયા નાણાનાં મુલ્ય સામે પડકારો ઉભા થાય ત્યારે, કિંમતીધાતું આવા પડકારો સામે ઢાલ બનીને પોતાનું મુલ્ય નિર્ધારણ કરે છે.

એક ઔંસ સોનાના ભાવથી કેટલા ઔંસ ચાંદી ખરીદી શકાય તેનું માપ આ રેશિયો દાખવે છે. રેશિયો જોઇને બજારમાં એવો પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે શું ચાંદીના ભાવ ૫૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) વટાવી જશે? હા, ચાંદીની વર્તમાન તેજી ભાવને ૫૦ ડોલર વટાવવા ઘોડેસવાર થઇ છે. જાન્યુઆરી ૨૦૨૪મા જ્યારે ચાંદીના ભાવ ૨૪ ડોલરના તળિયે બેઠા હતા, ત્યારે આવું માનવા કોઈ તૈયાર નાં હતું. ૨૦૨૩થી અત્યાર સુધીમાં ગોલ્ડ સિલ્વર રેશિયો અસંખ્ય વખત ૯૦ને ટચ કરી ગયો છે.

- Advertisement -

મહત્તમ રોકાણકાર ચાંદી કરતા સોનાને વધુ ચાહે છે. શું રેશિયો ફરીથી ઘટીને ૮૦ની અંદર જઈ શકે છે? શું ચાંદીના ભાવ (તેજી) સોનાને ઝાંખું પાડી દેશે? આવા અનેક પ્રશ્નો અસ્થાને નથી. છતાં આનો અર્થ એવો પણ નથી કે સોનાના ભાવ ઘટી જશે. બુધવાર ૧૯ ફેબ્રુઆરીએ રેશિયો ૮૯.૯૫ થયો હતો. આનો અર્થ એ છે કે ફુગાવા વૃદ્ધિ થઇ રહી છે, ત્યારે આખું ચિત્ર ફરી બદલાઈ જાય છે, આનો પડઘો કદાચ ભાવમાં નિર્ધારીત થશે.

માર્ચ ૨૦૨૦મા વિશ્વભરમાં કોવિદ મહામારી આવી ત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૨૪.૬૫ની વિક્રમ ઉંચાઈએ ગયો હતો. ત્યારે અલબત્ત, રેશિયો ૧૪૫૧ ડોલર સોનાના ભાવની તરફેણ કરતો હતો, બરાબર એ જ સમયે ચાંદીના ભાવ ૧૧.૬૪ ડોલર હતા. ફેબ્રુઆરી ૨૦૨૧મા કોવિદ મહામારીએ ઉપાડો લીધો અને ફૂગાવો ચરમસીમાએ ગયો, આ તબક્કે રેશિયો ચાંદીની તરફેણમાં ઘટીને ૬૫.૮૫ થયો હતો, ત્યારે ચાંદીના ભાવ ૨૫.૮૦ ડોલર અને સોનાના ભાવ ૧૬૯૯ ડોલર હતા.

૩ જુલાઈ ૨૦૨૪એ ચાંદીએ ૩૧.૫૦ ડોલરના ભાવથી પીછેહઠ કરીને બ્રેકાઉટ લેવલ નિર્ધારિત કર્યું. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ પછી ચાંદીએ ૨૮.૮૦ ડોલરથી નીચે નહિ જવાની હઠ પકડી, આ ઘટાડા પછી જોરદાર લેવાલી નીકળતા, ભાવ સતત વધતા રહી ૨૨ ઓકટોબરે ૩૪.૮૩ ડોલરની ઉંચાઈએ પહોચ્યા. અ બધી ભાવ વધઘટને આધારે અમે એવા નિષ્કર્ષ પર આવ્યા કે દરેક પ્રત્યાઘાતી ઘટાડે ભાવ વધતા રહી ૫૦ ડોલરની સપાટી ટચ કરવા પ્રયાસ કરશે. છેલ્લા બે મહિનાથી ચાલતી આ પ્રક્રિયામાં ચાંદીના ભાવે ૨૮.૮૦ ડોલરનું તળિયું રચી ૫૦ ડોલરની સપાટી પાર કરવાની મુસાફરી શરુ કરી છે.

- Advertisement -

અહી આપણે ૧૯૮૦ની ઐતિહાસિક તેજીને પણ સમજી લઈએ, બંકર હન્ટ બંધુઓએ ચાંદીનાં સટ્ટામાં મોટો ખેલો પાથર્યો, ૨૭ માર્ચ ૧૯૮૦ના રોજ હન્ટ બંધુ માર્જીન કોલ ભરવામાં નિષ્ફળ ગયા, ભાવ ૫૦.૪૨ ડોલરની ઊંચાઈએથી ટૂંકાગાળામાં ધડામ ૧૧ ડોલરની અંદર જતા રહ્યા. આ દિવસને સિલવર થર્સડે તરીકે ગણવામાં આવ્યો. આ ખેલામાં હન્ટ ભાઇએઓ ૧.૭ અબજ ડોલર ગુમાવ્યા અને એ સમયનો મહાન ઈતિહાસ રચાયો.

હાલમાં ચાંદીના પુરવઠાની તીવ્ર અછત વર્તાઈ રહી છે, બજાર ટાઈમ બોમ્બ પર બેઠી છે. આવી સ્થિતિ છતાં કોમેકસ સિલ્વરનાં ભાવ નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા છે, આખરે તો માંગ પુરવઠો જ ભાવ નિર્ધારિત કરશે. આપણે ગંભીર પુરવઠા અછત તરફ અગ્રેસર છીએ, બજાર વાસ્તવિક ભાવ નિર્ધારણ થાય, તેની રાહ જોઈ રહી છે. આખરે નવી ઊંચાઈ સર્જવા ભાવના નવા ડાયનેમિક્સ તૈયાર થઇ રહ્યા છે. અલબત્ત, ચાંદીની અછતની સમસ્યા બજારમાં વર્તાઈ રહી છે, તે આપણને ધરખમ તેજીના સંકેત આપે છે. તાજેતરના આંકડાને જો પુરાવા તરીકે લઈએ તો, પસાર થતા દરેક મહિના, આપણને કૈક ગડબડ થઇ રહ્યાના સંકેત પણ આપે છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular