Sunday, May 24, 2026
HomeGujaratAhmedabadઅંબાપુર કેનાલ હત્યાકાંડનો કરુણ અંજામ: જ્યાં યુવકને માર્યો, ત્યાં જ આરોપી વિપુલ...

અંબાપુર કેનાલ હત્યાકાંડનો કરુણ અંજામ: જ્યાં યુવકને માર્યો, ત્યાં જ આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દેવાયું

- Advertisement -

મુખ્ય મુદ્દા:

  • ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે બર્થ ડે ઉજવતા યુવકની હત્યાના આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત.
  • ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો, જ્યાં તેણે પોલીસની રિવોલ્વર ઝૂંટવી ફાયરિંગ કર્યું હોવાનો દાવો.
  • પોલીસની જવાબી કાર્યવાહીમાં ગોળી વાગતા વિપુલનું ઘટનાસ્થળે જ મોત, ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ.
  • આરોપી મનોરોગી હતો અને પોતાના લગ્ન ન થતા હોવાથી પ્રેમી યુગલોને નિશાન બનાવતો હતો.

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર:
ગાંધીનગરના ચકચારી અંબાપુર કેનાલ લૂંટ અને હત્યા કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. કરુણ સંયોગ એ છે કે, જે સ્થળે તેણે ૨૦ સપ્ટેમ્બરની રાત્રે યુવકની નિર્મમ હત્યા કરી હતી, તે જ સ્થળે તેનું પણ મોત થયું છે.

- Advertisement -

જ્યાં કરી હત્યા, ત્યાં જ મળ્યું મોત
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના માંડા ડુંગરમાંથી આરોપી વિપુલ પરમારની ધરપકડ કર્યા બાદ કેસની વધુ તપાસ ગાંધીનગર LCBને સોંપવામાં આવી હતી. આજે તપાસના ભાગરૂપે પોલીસ વિપુલને ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ પાસે લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન વિપુલે એક પોલીસકર્મીની રિવોલ્વર ઝૂંટવીને પોલીસ ટીમ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આત્મરક્ષણમાં સામે ફાયરિંગ કર્યું, જેમાં ગોળી વાગવાથી વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓને પણ ઈજાઓ પહોંચી છે.

શું હતી ઘટના?
૨૦ સપ્ટેમ્બરની મોડી રાત્રે લગભગ સવા વાગ્યે, એક યુવક અને યુવતી અંબાપુર કેનાલ પાસે કારમાં પોતાનો બર્થ ડે ઉજવી રહ્યા હતા. તે સમયે લૂંટના ઈરાદે આવેલા વિપુલ પરમારે તેમને ધમકાવ્યા હતા. યુવકે પ્રતિકાર કરતા વિપુલે તેના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી અને યુવતીને પણ ગંભીર રીતે ઘાયલ કરી હતી. ત્યારબાદ તે રોકડ, મોબાઈલ અને યુવકની કાર લઈને ફરાર થઈ ગયો હતો.

મનોરોગી સિરિયલ કિલર હતો વિપુલ
પોલીસ તપાસમાં વિપુલ પરમારનો ભયાનક ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. તે એક મનોરોગી હતો અને ખાસ કરીને કેનાલ પાસે એકાંતમાં બેઠેલા પ્રેમી યુગલોને જ નિશાન બનાવતો હતો.

  • લગ્ન ન થવાની હતાશા: વિપુલના લગ્ન નહોતા થઈ રહ્યા અને તેની સાવકી માતા તેને પરણવા દેતી નથી તેવા વહેમને કારણે તે માનસિક રીતે વિકૃત બની ગયો હતો. તે કોઈપણ યુગલને સાથે જોઈને ગુસ્સે ભરાતો અને તેમના પર જીવલેણ હુમલો કરતો હતો.
  • જૂનો ગુનાહિત ઈતિહાસ: ૪ વર્ષ પહેલાં પણ તેણે ઝુંડાલ કેનાલ પાસે આવી જ રીતે એક પ્રેમી યુગલ પર હુમલો કરી પ્રેમીની હત્યા કરી હતી. તે સમયે તેની ગેંગે 10 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. તેણે એક પ્રોફેસરને પણ લૂંટી લીધો હતો.
Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular