DELHI RIOTS CASE: દિલ્હી AAP પાર્ટીના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈનને IB અઘિકારી અંકિત શર્માના મર્ડર કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં અદાલતે પણ તમામને દોષિત જાહેર કર્યા છે. દિલ્હીમાં 2020માં થયેલા રમખાણો દરમિયાન અંકિત શર્માની હત્યા થઈ હતી. આ કેસમાં તાહિર હુસૈન સહિત 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 6 વર્ષ પછી અંકિત શર્માના પરિવારને ન્યાય મળ્યો હોવાની અનુભૂતિ થઈ છે. 25 ફેબ્રુઆરી 2020માં જ્યારે શર્મા ઓફિસથી ઘરે આવ્યા હતા. કોઈ કામથી તે ફરી પાછા નીકળ્યા તો પછી તે પાછા આવ્યા જ નહીં. જે પછી પરિવારે તેમની શોધ કરી તો તેમની લાશ મળી હતી. તેમનો દેહ ચાંદબાગ પુલિયા વિસ્તારમાં સ્થિત મસ્જિદ પાસેના એક નાળામાંથી મળ્યો હતો.
દિલ્હી (Delhi)માં વર્ષ 2020ના રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો (Intelligence Bureau – IB)ના અધિકારી અંકિત શર્મા (Ankit Sharma)ની હત્યા કેસમાં પૂર્વ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party – AAP)ના કાઉન્સિલર તાહિર હુસૈન (Tahir Hussain) સહિત 11 આરોપીઓને અદાલતે દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ઘટના એવી હતી કે, 25 ફેબ્રુઆરી, 2020ના રોજ અંકિત શર્મા ઓફિસથી ઘરે આવ્યા બાદ કોઈ કામસર બહાર નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા તેમનો મૃતદેહ ચાંદ બાગ (Chand Bagh) પુલિયા વિસ્તારની મસ્જિદ નજીક આવેલા નાળામાંથી મળી આવ્યો હતો. આ ઘટના માત્ર હત્યા સુધી મર્યાદિત ન હોવાનું, પરંતુ રમખાણો દરમિયાન રચાયેલી ગંભીર કાવતરાનો ભાગ હોવાનું કેસમાં સામે આવ્યું હતું.
નાગરિકતા સુધારા કાયદો (Citizenship Amendment Act – CAA) અને એનઆરસી (NRC)ને લઈને ઉત્તર-પૂર્વી દિલ્હીમાં ફેબ્રુઆરી 2020 દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ચાંદ બાગ, ખજૂરી ખાસ (Khajuri Khas) અને મુસ્તફાબાદ (Mustafabad) સહિતના વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની રહી હતી. તે દરમિયાન અંકિત શર્મા પોતાના ઘર નજીક પહોંચ્યા હતા, જ્યાં હિંસક ટોળાએ તેમને ઘેરી લીધા હોવાનું જણાવાયું છે. ત્યારબાદ તેમને તાહિર હુસૈનના ઘર નજીક લઈ જઈ ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યા બાદ તેમનો મૃતદેહ નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
અગાઉના દિવસે અંકિત શર્માના પિતા રવિંદર કુમાર (Ravinder Kumar)એ દયાલપુર પોલીસ સ્ટેશન (Dayalpur Police Station)માં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ખજૂરી ખાસના નાળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ (Postmortem) રિપોર્ટ મુજબ તેમના શરીર પર ધારદાર હથિયારોથી થયેલા 51 ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા મુજબ વધુ રક્તસ્ત્રાવના કારણે તેમનું મોત થયું હતું.
દિલ્હી પોલીસ (Delhi Police)ની ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)ની તપાસમાં તાહિર હુસૈનને સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમના ઘરેથી તેજાબની બોટલો, ગુલેલ અને પથ્થરો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. માર્ચ 2023માં અદાલતે તાહિર હુસૈન સહિત 11 આરોપીઓ સામે હત્યા, રમખાણો ભડકાવવા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા.
આ કેસમાં દોષિત જાહેર કરાયેલા અન્ય આરોપીઓમાં હસીન ઉર્ફે મુલ્લાજી ઉર્ફે સલમાન (Haseen alias Mullaji alias Salman), નાઝિમ (Nazim), કાસિમ (Qasim), સમીર ખાન (Sameer Khan), અનસ (Anas), ફિરોઝ (Firoz), જાવેદ (Javed), ગુલફામ (Gulfam), શોએબ આલમ ઉર્ફે બોબી (Shoaib Alam alias Bobby) અને મુન્તઝિમ ઉર્ફે મૂસા (Muntazim alias Musa)નો સમાવેશ થાય છે.
કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષે દલીલ કરી હતી કે આ પૂર્વનિયોજિત કાવતરાનો ભાગ હતો અને અંકિત શર્માને ઓળખીને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે સ્થાનિક સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી (CCTV) ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડ (Call Detail Record – CDR) અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. બીજી તરફ બચાવ પક્ષે તાહિર હુસૈનને રાજકીય દ્વેષના કારણે ફસાવવામાં આવ્યા હોવાની દલીલ કરી હતી અને સીધા હુમલાના કોઈ પુરાવા ન હોવાનો દાવો કર્યો હતો.








