Tuesday, July 14, 2026
HomeGujarat'હવે આગાહી નહીં કરું'- અંબાલાલ પટેલે બંધ કરી આગાહી, સપોર્ટ મળશે તો...

‘હવે આગાહી નહીં કરું’- અંબાલાલ પટેલે બંધ કરી આગાહી, સપોર્ટ મળશે તો કરીશું આગાહી પણ હાલ…

- Advertisement -

Ambabal Patel last and final Video on forecast: ગુજરાતમાં ગરમી, ઠંંડી સહિત વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે (Ambabal Patel) એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે હવે તેઓ હાલ માટે વરસાદ અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. તેમની આ જાહેરાત બાદ રાજ્યભરમાં ફરી એકવાર ચર્ચાનો માહોલ સર્જાયો છે. વર્ષોથી અંબાલાલ પટેલ પોતાની પરંપરાગત પદ્ધતિ અને વૈદિક જ્ઞાનના આધારે હવામાન અંગે આગાહીઓ કરતા આવ્યા છે, જેને લઈને લોકોમાં હંમેશા ઉત્સુકતા રહેતી આવી છે. ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન જાથા દ્વારા તેમના અને તેમના દ્વારા કરવામાં આવતી આગાહીઓને લઈને લોકોને છેતરવાના મતલબની વાત કરવામાં આવી પછી સમગ્ર મામલે વિવાદો શરૂ થયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તેમને દુઃખ પહોંચાડનારા છે. તેમના જણાવ્યા મુજબ આવા આક્ષેપો માત્ર તેમની વ્યક્તિ સામે નથી પરંતુ પરંપરાગત વૈદિક જ્ઞાન અને આપણા ઋષિમુનીઓના જ્ઞાન પર કુઠારાઘાત સમાન છે. તેમણે કહ્યું કે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જ્ઞાન પદ્ધતિને આ રીતે પ્રશ્નોના ઘેરામાં મૂકવી યોગ્ય નથી.

- Advertisement -

અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા નથી. તેમના મતે વિવાદ કરતાં સમાજનું કલ્યાણ વધુ મહત્વનું છે. તેથી હાલની પરિસ્થિતિમાં તેઓ વરસાદ અંગે કોઈ પણ આગાહી કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે વિવાદો વચ્ચે આગાહી કરવી યોગ્ય નથી અને તેથી તેમણે થોડા સમય માટે આગાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

તેમણે લોકોના સમર્થન અંગે પણ મહત્વની વાત કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું કે જો તેમને લોકો તરફથી પૂરતું સમર્થન મળશે તો તેઓ ફરીથી વરસાદની આગાહી કરવાનો વિચાર કરશે. જોકે હાલની સ્થિતિમાં તેઓ કોઈપણ પ્રકારની આગાહી કરવા તૈયાર નથી. તેમના નિર્ણયને લઈને હવે લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

તેમણે આ વીડિયોમાં કહ્યું છે કે, જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે. જાથા દ્વારા કરવામાં આવતા નિવેદનો દુઃખ પહોંચાડનારા છે. આ નિવેદનો કુંઠારાઘાત છે. આપણા પરંપરાગત વૈદિક જ્ઞાન અને આપણા ઋષિમુનીઓના જ્ઞાન પર કુઠારાઘાત છે. જે યંત્રો નથી અને અમારે યંત્રોની જરૂર પણ નથી. આમ છતા અમે આ આગાહી લોક કલ્યાણ અર્થે આપતા હતા. હવે અમારી ઉંમર થઈ, અમે કોઈ વિવાદમાં પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપીશું પરંતુ અમે અત્યારે આગાહી બંધ કરીએ છીએ. એટલે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular