નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ (Veraval) તાલુકામાં PGVCLના અધિકારીઓની દાદાગીરીથી પ્રજા ત્રસ્ત બની હતી. આથી પ્રજાના પ્રશ્નોની PGVCL ના અધિકારીને રજૂઆત કરવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બમરોટિયાએ બીડું ઝડપ્યું. પરંતુ રજૂઆત માટે ગયેલા કોંગ્રેસ પ્રમુખ પર જ PGVCL ના અધિકારીએ ફરજ રુકાવટની ફરિયાદ દાખલ કરાવી. તો બીજી તરફ ગ્રામ પંચાયતે પણ ચૂપ્પી તોડી અને PGVCLના અધિકારીના મનસ્વી વર્તનની ફરિયાદ ઉપરાંત ખોટી ફરિયાદ નોંધાવ્યાનો આરોપ લગાવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે વેરાવળ તાલુકાના ઉંબા ગામમાં 29 માર્ચ 2023 ના PGVCLની ટીમ ચેકિંગમા આવી હતી. દરમ્યાન વીજ બીલ બાકી હોવાનુ કહીને કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. પરંતુ વીજબીલ ધારકની વાત ન સાંભળતા તેમણે વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બમરોટિયાને સમગ્ર બાબતની જાણ કરી હતી. જેથી કોંગ્રેસ પ્રમુખ હિરેન બમરોટિયાએ PGVCLના અધિકારીને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. 10 વાર ફોન કરવા છતાં પણ ફરજ પરના અધિકારીએ ફોન ઉઠાવ્યો ન હતો.
આથી કોંગ્રેસ પ્રમુખ હિરેન બમરોટિયા માહિતી મેળવી ફરજ પર રહેલા PGVCLના અધિકારી જુનિયર ઈજનેર પ્રદિપ ઝાલાને રુબરુ મળીને રજુઆત કરી હતી. ત્યારે અધિકારી સાથે બોલાચાલી થતા PGVCLના પ્રદિપ ઝાલાએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હિરેન બમરોટિયા વિરુદ્ધ ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવી દીધી જેની પોલીસ તપાસ કરી રહી છે.
આ અંગે જેમનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું તે નીતાબેનનો સંપર્ક કરતાં જાણવા મળ્યું છે કે, તેમણે 3 વર્ષથી વીજલાઇન બદલવા અરજી કરી છે, બીલની રકમ ભરવા માટે પણ તેઓ તૈયાર છે. છતાં પણ PGVCLના અધિકાર પ્રદીપ ઝાલાએ દાદાગીરીથી વીજ કનેક્શન કાપી નાખ્યુ છે. ગામના ઉપસરપંચ હરેશ સોલંકી સહિત ગ્રામજનોએ PGVCL ના અધિકારી પ્રદીપ ઝાલા વિરુદ્ધ મનસ્વી વર્તનના આક્ષેપો લગાવ્યા છે. તેમજ કોંગ્રેસ પ્રમુખ પર ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો ખુલાસો કર્યો છે.
એક તરફ કોંગ્રેસ પ્રમુખ હિરેન બમરોટિયાએ પણ પોતાના પર રાજકીય કિન્નાખોરી રાખી ખોટી ફરિયાદ નોંધાવ્યા હોવાની શંકા વ્યક્ત કરી છે. સાથે જ પોલીસની કામગીરી પર વિશ્વવાસ પણ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ PGVCLના અધિકારી પ્રદીપ ઝાલાએ આ સમગ્ર મુદ્દે મીડિયા સમક્ષ મૌન સેવીને ઘણાં સવાલો ઉભા કર્યા છે. ત્યારે સત્ય શું છે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796