Monday, May 19, 2025
HomeGujaratBhavnagar9 કરોડના હીરાની પઠાણી ઉઘરાણી વેપારીના મોતનું કારણ બની, 6 આરોપીઓ સામે...

9 કરોડના હીરાની પઠાણી ઉઘરાણી વેપારીના મોતનું કારણ બની, 6 આરોપીઓ સામે નોંધાયો ગુનો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગુજરાતમાં જીવન ટૂંકાવવાનો સિલસિલો યથાવત છે. કોઈને કોઈ કારણસર હિમ્મત હારી બેઠેલો માણસ મોતને વ્હાલું કરે છે. ડાયમંડ (Diamond) સાથે જોડાયેલા ધંધાનો મોટા ગજાનો વેપારી આર્થિક સંકાળામણને કારણે જીવ ખોઈ બેસે ત્યારે અને તેમાં પણ ખાસ કરીને કોઈની પઠાણી ઉઘરાણી જેવી બાબત હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે, માણસના જીવ કરતાં પૈસાની કિંમત વધારે છે? આવી જ એક પઠાણી ઉઘરાણીને લઈ એક હીરાના વેપારીએ જીવન ટૂંકાવવાની ઘટના ભાવનગરમાં (Bhavnagar) સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરમાં નિર્મળનગર ખાતે મણિરત્ન કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા લશ્કર મકવાણાએ બોટાદના ગઢાળી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં સામે આવ્યું છે કે, જીવન ટૂંકાવાના ચાર દિવસ અગાઉ મૃતક લશ્કર મકવાણા ઘર છોડીને જતાં રહ્યા હતા. ત્યાર બાદ લશ્કર મકવાણાએ તેઓના પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે, “હું હીરાની લેતી દેતી બાબતે થઈ રહેલી ઉઘરાણીથી ત્રાસી ગયો છું અને તેથી જ હું ગઢાળી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવી રહ્યો છું.”

- Advertisement -

ઘટના બાદ પોલીસે ગઢડા પોલીસ (Gadhada police) મથકમાં મૃતકના પુત્રની ફરિયાદને આધારે સુરતના પાંચ અને ભાવનગરના એક વેપારી સામે ફરિયાદ નોંધી છે. તેમજ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular