Sunday, May 3, 2026
HomeGeneralમુંબઈમાં 20 માળની ઇમારતમાં આગ લાગી, બેનાં મોત, 15 ઇજાગ્રસ્ત

મુંબઈમાં 20 માળની ઇમારતમાં આગ લાગી, બેનાં મોત, 15 ઇજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન.મુંબઈ: મુંબઈમાં આજે 20 માળની રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી જેમાં બે લોકો દાઝીને મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે જ્યારે અન્ય ૧૨ ઘાયલોની હાલત સ્થિર છે. સવારે સાત વાગ્યાની આસપાસ મુંબઈના તારદેવ વિસ્તારની ગોવાલિયામાં ગાંધી હોસ્પિટલની સામે કમલા બિલ્ડિંગના ૧૮મા માળે આગ લાગી હતી. આ અંગે જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.



તમામ ઇજાગ્રસ્તોને નજીકની ભાટિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી 12ની હાલત સ્થિર હોવાથી તેમને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાટિયા હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં બે લોકોનું મૃત્યુ થયુ છે.

મ્યુનિસિપલ સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેને લેવલ-3 આગ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર ફાયર ફાઇટિંગ ઓપરેશનમાં 13 ફાયર ટેન્ડર, સાત વોટર જેટી અને અન્ય લોકો સામેલ છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular