Sunday, May 31, 2026
HomeGeneralઅમૃતસર: BSF જવાને મેસમાં ગોળીબાર કર્યો, આરોપી સહિત 5 જવાનોના મોત, એકની...

અમૃતસર: BSF જવાને મેસમાં ગોળીબાર કર્યો, આરોપી સહિત 5 જવાનોના મોત, એકની હાલત ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એકમમાં ગોળીબારના સમાચાર છે. આ અકસ્માતમાં પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ જવાનની હાલત ચિંતાજનક છે. આ કમનસીબ ઘટના રવિવારે (06 માર્ચ) ના રોજ ખાસા, અમૃતસર ખાતે 144મી બટાલિયનના હેડક્વાર્ટર ખાતે બની હતી, જ્યારે કોન્સ્ટેબલ સટ્ટપ્પા એસએ આકસ્મિક રીતે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આરોપી કોન્સ્ટેબલ સટ્ટપ્પા સહિત 5 જવાનોએ જીવ ગુમાવ્યો છે.

સીમા સુરક્ષા દળના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઘાયલ થયેલા એક જવાનની હાલત નાજુક છે. ફાયરિંગના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનામાં શહીદ થયેલા જવાનોમાં હેડ કોન્સ્ટેબલ ડીએસ તોરસકર, હેડ કોન્સ્ટેબલ બલજિંદર કુમાર, કોન્સ્ટેબલ રતન ચંદ પણ સામેલ છે.

- Advertisement -




આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગથી લગભગ 20 કિમી દૂર ખાસા વિસ્તારમાં ફોર્સના ભોજનાલયમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુ પામેલા જવાનોમાં ગોળીબાર કરનાર જવાનનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું કે સીમા સુરક્ષા દળના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular