Asiatic Lion Dies of Disease : ગુજરાત અને દેશનું ગૌરવ ગણાતા સિંહના ધડાધડ મોત (Lions die in Gir) બાદ વન વિભાગ દોડતો થયો હતો. વનમંત્રી અર્જુન મોઢવાડિયા (Forest Minister Arjun Modhwadia) પણ આ મામલાની જાણકારી મેળવવા તેમજ સમીક્ષા કરવા ગીર પહોંચ્યા હતા. બાળ સિંહ સહિત 8 સિંહોના મોતના સમાચાર બાદ ગીરના જંગલમાંથી અનેક સિંહોને ક્વૉરેન્ટાઈન કરાયા (Asiatic Lions quarantined) છે અને બિમાર સિંહોને સારવાર અર્થે કેર સેન્ટરમાં ખસેડાયા (Sick lions shifted to care center) છે.
વનમંત્રી અર્જુન મોઢવાડિયા આજે રેસ્કયુ સેન્ટર પહોંચ્યા હતા. જુનાગઢના સીએફ રતન નાલા સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી સિંહોના મોત અંગેની જાણકારી મેળવી આ મામલે સમિક્ષા કરી હતી. મોઢવાડિયા ગીરના જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ગયા હતા અને ત્યાં સારવાર હેઠળ રહેલા 17 સિંહોની પણ જાણકારી મેળવી હતી. આ મુલાકાત બાજ અર્જુન મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ચિંતાની કોઈ વાત નથી. 28 તારીખ પછી એકપણ સિંહનું મોત નથી થયું.








