Sunday, April 19, 2026
HomeNationalછત્તીસગઢમાં 11 જવાન શહીદ, નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ

છત્તીસગઢમાં 11 જવાન શહીદ, નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દંતેવાડા: છત્તીસગઢના દંતેવાડા (Dantevada)માં આજે મોટો નક્સલી હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. આજે બુધવારે થયેલા નક્સલી હુમલામાં 11 સુરક્ષા જવાન શહીદ થયા છે. જ્યારે એક ડ્રાઈવરનું પણ મોત થયું છે. તમામ ડી.આર.જી.ના કર્મચારીઓ છે. આ જવાન તેમના સાથીઓને લેવા ખાનગી વાહનમાં અરનપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન નક્સલીઓ (Naxal attack)એ IED બ્લાસ્ટ કર્યો હતો. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે જવાબી કાર્યવાહીમાં કેટલાક નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે. મામલો અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

છત્તીસગઢ (Chhattisgarh) ના દંતેવાડામાં નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર મોટો હુમલો કર્યો છે. નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટને કારણે 11 જવાનો શહીદ થયા હતા. એવું કહેવાય છે કે અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલી કેડરની હાજરીની માહિતી પર, નક્સલ વિરોધી અભિયાન માટે દંતેવાડાથી ડી.આર.જી. ફોર્સ મોકલવામાં આવી હતી. અભિયાન બાદ પરત ફરતી વખતે નક્સલીઓએ અરનપુર રોડ પર IED વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 10 ડી.આર.જી. જવાન અને ઓપરેશનમાં સામેલ એક ડ્રાઈવર શહીદ થયા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular