Monday, May 19, 2025
HomeGujaratAhmedabadગંગોત્રી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ એરકાર્ગો થકી અમદાવાદ લવાયા, દુર્ઘટનાના...

ગંગોત્રી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ એરકાર્ગો થકી અમદાવાદ લવાયા, દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ વર્ણન કરી ભયાનકતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ચારધામ યાત્રા કેદારનાથના (Kedarnath Tour) દર્શન કરવા ગયેલા ભાવનગરના (Bhavnagar) શ્રદ્ધાળુઓ ગંગોત્રીથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની બસને અકસ્માત (Gangotri bus accident) નડ્યો હતો. જે અકસ્માતની ઘટનામાં કુલ 7 લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી હતી. ગઈકાલે મૃતકના પાર્થિવ દેહ એરકાર્ગો મારફતે ઉતરાખંડથી અમદાવાદના સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટ (Ahmedabad Airport) લાવવામાં આવ્યા હતા.

જે અંગે આ દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શી રહેલા જીતુ ગોહિલે જણાવ્યું હતું કે, ગંગોત્રી દર્શન કરી 5:30 વાગ્યા અરસામાં અમે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બસ થોડી સ્પીડ હતી. જેમાં ખીણ પાસે અચાનક ટર્નિંગ આવતા બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઇ બસ રેલીંગ તોડી આઠથી દસ કિલો મીટર નીચે ખાઈમાં પડી હતી. બૂમાબૂમ થતાં ત્યાંના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. તેમજ અન્ય એક બસમાં યાત્રિકો આવી રહ્યા હતા, તેમણે અમને જોઈ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. દોરડાની મદદથી 7 કલાક જેટલો સમય રેસક્યું ઓપરેશન ચાલ્યું હતુ. ઘટનાની જાણ થતાં પોલીસની સાથે અન્ય ટીમો પણ દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે 7 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને નજીકમાં આવેલી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં 7થી 8 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એકની હાલત ગંભીર છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના એજન્ટ દ્વારા યોજવામાં આવેલી આ યાત્રામાં મોટેભાગે ભાવનગર શહેર અને જિલ્લાના યાત્રાળુઓ જોડાયા હતા. આ યાત્રાળુઓની બસ શ્રી હોલીડે દ્વારા દિલ્હી ખાતેથી બાંધવામાં આવી હતી. જેમાં મોટેભાગે ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના યાત્રાળુ ચારધામનો પ્રવાસ કરી રહ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular