Thursday, May 28, 2026
HomeNationalમતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ચૂંટણી પંચના...

મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ચૂંટણી પંચના અધિકારને માન્યતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) પાસે SIR જેવી કાર્યવાહી હાથ ધરવાનો અધિકાર છે અને આ કાર્યવાહી કાયદાકીય સીમાઓની બહાર નથી.

SIR સામે દાખલ કરાયેલી વિવિધ અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના અધિકારને યથાવત રાખ્યો છે. અદાલતે કહ્યું કે ચૂંટણી પંચે SIR પ્રક્રિયા શરૂ કરીને પોતાની વૈધાનિક સત્તાની બહાર જઈને કોઈ કાર્યવાહી કરી હોવાનું કહી શકાય નહીં. આ પ્રક્રિયાને ‘અલ્ટ્રા વાયર્સ’ પણ કહી શકાય નહીં, કારણ કે આ નિયમિત પ્રક્રિયા કરતાં અલગ હોવા છતાં કાયદાકીય જોગવાઈઓ હેઠળ માન્ય છે.

- Advertisement -

ચુકાદા દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે તમામ પક્ષોની અલગ-અલગ દલીલો, ઘટનાક્રમ, રજૂ કરાયેલા દસ્તાવેજો અને રેકોર્ડ પરની સામગ્રીને ધ્યાનમાં લીધા બાદ અદાલતે આ મુદ્દાઓનું વિશ્લેષણ જરૂરી ગણ્યું હતું.

અદાલતે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વિચાર કર્યો હતો. પ્રથમ, શું ચૂંટણી પંચ પાસે SIR જેવી કાર્યવાહી કરવાનો અધિકાર છે. બીજું, શું આ પ્રક્રિયા કોઈ યોગ્ય અને કાયદેસર હેતુ પર આધારિત છે અને ચૂંટણી પંચે અપનાવેલા પગલાં હેતુને અનુરૂપ છે કે નહીં. ત્રીજું, શું SIR પ્રક્રિયામાં અપનાવાયેલી પદ્ધતિ જન પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ના નિયમોનો ભંગ કરે છે કે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કાયદો પોતે જ ચૂંટણી પંચને કોઈપણ સમયે, યોગ્ય કારણો નોંધાવી અને યોગ્ય લાગે તે રીતે વિશેષ પુનરીક્ષણ કરવાની છૂટ આપે છે, ત્યારે માત્ર એટલા માટે આ પ્રક્રિયાને અમાન્ય ઠરાવી શકાય નહીં કે તે નિયમિત પુનરીક્ષણની સામાન્ય પ્રક્રિયાના દરેક પાસાં સાથે મેળ ખાતી નથી.

- Advertisement -

અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ SIR પ્રક્રિયા જન પ્રતિનિધિત્વ અધિનિયમ અને તેના નિયમોની જગ્યાએ આવતી નથી, પરંતુ અધિનિયમની કલમ 21(3) હેઠળ નિર્ધારિત કાનૂની સીમાઓમાં રહીને બંધારણના અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી પંચને આપવામાં આવેલી સત્તાને અમલમાં મૂકે છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે ચૂંટણી પંચે પોતાની કાનૂની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું કહી શકાય નહીં. સાથે જ SIR પ્રક્રિયા દરમિયાન અપનાવાયેલી પદ્ધતિને પણ યોગ્ય અને કાયદેસર ગણાવવામાં આવી છે.

અદાલતના મત મુજબ આ વિશેષ પુનરીક્ષણ એક વૈધ અને બંધારણીય હેતુ પર આધારિત હતું અને તેમાં નિષ્પક્ષ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular