નવજીવન અમદાવાદ: સત્તામાં જે હોય. તેમની પાસે ખુશામતખોર હોય છે, પણ સત્તાધીશની ખુશામત કરનાર જયારે પ્રમાણભાન ભુલે ત્યારે અનર્થ થાય છે આવુ જ કઈક ફિલ્મ અભીનેત્રી કંગના રાણાવતે એક ટેલીવીઝન ચેનલના કાર્યક્રમમાં કર્યુ છે, ટેલીવીઝન ચેનલના એન્કરના પ્રશ્નના જવાબમાં કંગના રાણાવતે એવી ટીપ્પણી કરી કે 1947માં દેશને ભીખમાં આઝાદી મળી હતી પરંતુ ખરી આઝાદી તો 2014માં મળી છે.
કંગના રાણાવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવીત હોય. અને તે મોદીને શ્રેષ્ઠ વડાપ્રધાન માને તેમા પણ કઈ વાંધો નથી, પરંતુ આઝાદી માટે દેશના નાના મોટા અનેક લોકોએ કરેલા સંઘર્ષથી કંગના વાકેફ નથી તે તેનો પ્રશ્ન છે નરેન્દ્ર મોદીની વખાણ કરવામાં કંગનાને સમજાયુ નહિ કે 1947 સુધી ગાંધી-સરદાર-નહેરુ ભગતસિંહ સહિત અનેક નામી અનામી લોકોએ જે યાતનાઓ સહી અને પોતાની જીંદગીના અનેક વર્ષો જેલમાં પસાર કર્યા તે યોગદાનને દેશ ભુલી શકે નહીં.
શકય છે કંગના આ નેતાઓને માન આપી શકતી નથી, પણ તેમનું અપમાન કરવાનો અધિકાર પણ કંગનાને નથી, કંગનાની આ ટીપ્પણીને સમગ્ર દેશમાં ટીકા થઈ રહી છે કંગના રાણાવતે શુ કહ્યુ જુઓ વિડીયો
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.