નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને વધુ એક ઝડકો લાગ્યો છે. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક અને અન્ય પર થયેલા કેસને પરત ખેચવા માટે રાજ્ય સરકારે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ફગાવી દીધી છે.
અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન વસ્ત્રાલના તત્કાલીન સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે ટોળાં દ્વારા હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ ફરિયાદમાં હાર્દિક પટેલ સહિત અન્ય લોકો સામે વિવિદ કલમો હેઠળ ગુનો નોંઘાયો હતો. જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અંગે કેસ પરત ખેંચવા સરકારે અરજી આપી હતી. આ અરજીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ફગાવી દીધી છે.
પાટીદાર આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે. તાજેતરમાં જ પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ રાજ્ય સરકારે 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











