Wednesday, April 22, 2026
HomeGujaratકારગિલ વિજય દિવસ: પાંચ ગોળીઓ જીલ્યા બાદ પાકિસ્તાની મેજરનું ગળું કાપ્યું હતું

કારગિલ વિજય દિવસ: પાંચ ગોળીઓ જીલ્યા બાદ પાકિસ્તાની મેજરનું ગળું કાપ્યું હતું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશના હીરો દિગેન્દ્ર કુમાર જેણે 30 વર્ષની વયે તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન દ્વારા દેશનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. કારગિલ યુદ્ધ દરમિયાન તેમણે પોતાની ટીમની મદદથી 48 પાકિસ્તાની સૈનિકોને મારીને દેશને મોટી સફળતા અપાવી હતી. એટલું જ નહીં પાંચ ગોળીઓ વાગી હોવા છતાં તેમણે પાકિસ્તાની મેજરનું માથું કાપીને ફરીથી તોલોલિંગની ટોચ પર વિજય મેળવીને ત્રિરંગો લહેરાવ્યો હતો.

રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકથાણા તાલુકામાં જાટ પરિવારમાં જન્મેલા દિગેન્દ્ર બાળપણથી જ લશ્કરી વાતાવરણમાં ઉછર્યા હતા. તેમના દાદા સ્વતંત્રતા સેનાની હતા અને તેમના પિતા ભારતીય સેનાના બહાદુર યોદ્ધા હતા. 1947-48ના યુદ્ધ દરમિયાન દિગેન્દ્રના પિતા શિવદાન સિંહને જડબામાં 11 ગોળીઓ વાગી હતી, તેમ છતાં તેમણે હાર ન માની. તેમના પિતાથી પ્રેરિત થઈને દિગેન્દ્ર કુમાર 2 રાજપૂતાના રાઈફલ્સમાં જોડાયા.

- Advertisement -

1985માં રાજપૂતાના રાઈફલ્સમાં ભરતી થયાના બે વર્ષ પછી દિગેન્દ્ર કુમારને શ્રીલંકાના જંગલોમાં પ્રભાકરનના તમિલ ટાઈગર્સ સામે ઝુંબેશ ચલાવવા માટે ભારતીય પીસ કીપિંગ ફોર્સમાં મોકલવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન દિગેન્દ્રએ એક જ દિવસમાં આતંકવાદીઓને મારી નાખ્યા હતા. દુશ્મનના દારૂગોળાનો અડ્ડો નષ્ટ કર્યો અને પેરાટ્રૂપર્સને તેમના કબજામાંથી બચાવી લીધા. આ બધું અચાનક જ્યારે તે પોતાના જનરલ સાથે કારમાં જઈ રહ્યા હતા અને રસ્તામાં એલટીટીઈના કેટલાક આતંકવાદીઓએ બ્રિજની નીચેથી જનરલની કાર પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. ત્યારે દિગેન્દ્રએ તે જ ગ્રેનેડ પકડી લીધો અને તે આતંકવાદીઓ સામે પાસે પાછો ફેંક્યો હતો



થોડા વર્ષો પછી તેમને કાશ્મીરના કુપવાડા મોકલવામાં આવ્યા. જ્યાં તેમણે એરિયા કમાન્ડર આતંકવાદી માજીદ ખાનનો ખાત્મો કર્યો. તેમની વીરતા માટે તેમને સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. લગભગ એક વર્ષ પછી 1993માં દિગેન્દ્ર કુમારે હઝરતબલ દરગાહને આતંકવાદીઓના ચુંગાલમાંથી મુક્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના માટે તેમને પ્રશંસા પણ મળી હતી. પરંતુ દિગેન્દ્ર માટે આ બધી નાની સિદ્ધિઓ હતી. હિંમતવાન અને નિર્ભય યોદ્ધા પોતાની માતૃભૂમિ માટે કંઈક મોટું કરવા માંગતા હતા. આ માટે તેમને તક પણ મળી.

- Advertisement -

1999 સુધીમાં દિગેન્દ્ર કુમારની ગણતરી સેનાના શ્રેષ્ઠ કમાન્ડમાં કરવામાં આવતી હતી. આ વર્ષે 13મી જૂને જે બન્યું તેણે દિગેન્દ્ર કુમારને જીવંત બનાવી દીધા. તેમણે 15,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત ટોલોલિંગની ટોચ હાસલ કરી અને તેના પર ત્રિરંગો લહેરાવીને ભારતને પ્રથમ મોટી અને મહત્વપૂર્ણ સફળતા મળી. આ ઝુંબેશ દરમિયાન તેમને પાંચ ગોળીઓ વાગી હતી પરંતુ તેઓ અટક્યા નહીં. પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહ્યા. તેમના માર્ગમાં જે પણ આવ્યું તેને ખતમ કરી નાખ્યા.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular