નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: influenza H3N2 Virus: દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાની મહામારી (Corona Pandemic) બાદ હવે એક નવા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ઈન્ફૂલ્યુએન્ઝા H3N2 (Influenza H3N2) નામનો આ વાયરસ પણ કોરોના જેવા જ લક્ષણો ધરાવે છે. જેના કારણે સરકાર અને જનતામાં આ વાયરસને લઈને ચિંતા ઊભી થઈ છે. જે વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે તેને 10થી 12 દિવસ સુધી તાવ અને ખસી રહે છે.
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ(H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે રહ્યા છે.
શું છે આ બિમારીના લક્ષણો?
- જે દર્દીઓ આ વાયરસથી સંક્રમીત થાય છે તેમને 2-3 દિવસ સુધી સખત તાવ રહે છે.
- બે અઠવાડીયા જેટલા સમય સુધી ખાસી રહે છે.
- શરીરમાં દુખાવો થાય છે.
- માથાનો દુખાવો થાય છે.
- ગળામાં બળતરા થાય છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA)ની સલાહ
દેશમા વધી રહેલા વાયરસ જન્યરોગોને લઇ IMAએ સલાહ આપી છે કે લાકોએ સતર્ક રહેવાની જરૂર છે તથા વગર કામની એન્ટીબાયોટીક ન લેવી જોઈએ. ડોકટર્સે પણ યોગ્ય તપાસ કરીને જો જરૂર જણાય તો જ દર્દીને એન્ટિબાયોતિક દવાનો ઉપયોગ કરવાની સલાહ આપવી જોઈએ.
ચેપથી બચવા માટે શું કરવું?
- વાયરસની અસર જણાતા ડોક્ટરની સલાહ લેવી.
- જે લોકોને વાયરસની અસર છે તેમના સંપર્કથી બચવુ.
- હાથોની યોગ્ય સફાઇ કરવી.
- આંખ, નાક અને મોઢાને સ્પર્સ ન કરવું.
- છીક અને ખાસતી વખતે મોઢાને અને નાકને ઢાંકવા








