Saturday, June 3, 2023
HomeGeneralગુજરાત પોલીસમાં મોટાપાયે ફેરફાર, 47 PIની બદલી

ગુજરાત પોલીસમાં મોટાપાયે ફેરફાર, 47 PIની બદલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ ગુજરાતમાં IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારે આજે 47 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી રહી છે. બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલી જોવા મળી રહી છે. એક જ શહેરમાં 3 વર્ષ કે તેની વધુ સમય થયો હોય અને વહીવટી કારણો સર એક સાથે 47 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે ટૂંક સમયમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ મોટાપાયે બદલી થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ 1 એપ્રિલના રોજ 88 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી.

અમદાવાદના સી.બી. ટંડેલને વડોદરા, સુરતના આર.એલ.દવેને ગાંધીનગર, સુરતના એસ.બી.ભરવાડને ભાનગર, વડોદરાના પી.કે.ચાવડાને LCB, વડોદરાના બી.જી.ચેતરીયાને દેવભૂમિ દ્વારકા, રાજકોટના બી.એમ.કાતરીયાને જામનગર, ખેડાના સી.જી.રાઠોડને LCB, ખેડાના એમ.ડી.પટેલને LCB, અમદાવાદના એમ.એમ.લાલીવાલાને ખેડામાં બદલી કરવામાં આવી છે.






- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular