નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કરોડોના બેંક ફ્રોડ કેસમા આરોપી ફર્મ સાઈ ઈન્ફોસિસ્ટમ (ઈન્ડિયા) લિ.ના નિદેશક સુનીક કક્કડ઼ને ભારતમાં બેંક-એંડ આઈટી સ્પોર્ટ અને એન્ટરપ્રાઈઝિઝ રિસોર્સ પ્લાનિંગ સોફ્ટવેર જરૂરિયાતોને આઉટસોર્સ કરવા માટે કંપનીઓ સાથે વેપારના અવસર શોધવા માટે યુએઈ જવાની પરવાનગી આપી છે.
કક્કડ઼ને કથિત રીતે 2014માં લાઈબેરિયામાં પકડવામાં આવ્યો હતો તેના પર જાહેર ક્ષેત્રની બેંકો સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે. જેની તપાસ CBI કરી રહી છે. તેનાથી સંબંધિત મની લોન્ડ્રીંગ મામલાની તપાસ ઈડી કરી રહી છે. હાલની અરજીમાં પ્રતિવાદી બેંક ઓફ બરોડા ના કહેવા પર કક્કડ઼ની સામે લુક આઉટ સર્ક્યૂલર (LOC) જાહેર કરાયો હતો. બેંક ઓફ બરોડાની તરફથી રજૂ થયેલા વકીલે કક્કડ઼ની યાત્રાનો વિરોધ કરતા તર્ક આપ્યો હતો કે તેમણે વિવિધ બેન્કને એક પણ પૈસો આપ્યો નથી, તેમણે સાંઈ ઈંફોસિસ્ટમ (ઈન્ડિયા) લિ.ને ભારે લોનની સુવિધાઓ આપી, જેના તે પ્રમોટર અને પ્રમુખ નિદેશક છે. તે વચ્ચે કક્કડ઼ના વકીલે તર્ક આપ્યો કે હાઈકોર્ટે વિવિધ અવસરો પર તેમણે વિદેશ યાત્રા કરવાની અનુમદી આપી અને પ્રત્યેક અવસર પર કક્કડ઼ દ્વારા એક અલગ અંડરટેકિંગ દાખલ કરવામાં આવી.
કક્કડ઼ના વકીલે રજૂઆત કરી હતી કે તેઓ “ભારતમાં બેક-એન્ડ આઇટી સપોર્ટ અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સોફ્ટવેર આવશ્યકતાઓને આઉટસોર્સ કરવા માટે કંપનીઓ સાથે વ્યવસાયિક તકો શોધવાના હેતુથી” યુએઈની મુસાફરી કરવા માગે છે. એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ હેતુ માટે તેમના દ્વારા ખરીદીના ઓર્ડર સુરક્ષિત કરવામાં આવ્યા હતા. એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે ઓર્ડરના સફળ અમલીકરણ માટે કક્કડ઼ને યુએઈની મુસાફરી કરવી જરૂરી છે.
દલીલો સાંભળ્યા પછી જસ્ટિસ દેવન એમ દેસાઈએ પોતાના આદેશમાં કહ્યું કે, અરજીમાં આપવામાં આવેલા કથનો અને પ્રતિવાદી નં4ની તરફથી કરવામાં આવેલા સોગંદનામાના ઉત્તરો પર વિચાર કરતા અને ખાસ રુપે બાકી પ્રતિવાદિઓ દ્વારા આપવામાં આવેલા કોઈપણ ગંભીર તર્કના અભાવમાં મારું માનવું છે કે અરજી પર વિચાર કરવામાં આવે તેવી જરૂર છે. અરજીને આ શરતો પર પુરી કરવા પર 7મી જુન 2025થી 27 જુન 2025 સુધી યુએઈની યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવે છે.
શરતોમાં શામેલ છે કે કક્કડ઼ને ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારના નામ પર ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા 25 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે, જે તેમની યાત્રા પુરા થયા પછી તેમને પાછા મળી જશે. કક્કડ઼ વિદેશમાં કોઈ બેંક ખાતું ખોલશે કે બંધ કરશે નહીં. વિદેશમાં કોઈ પ્રકારની સંપત્તિની લેવડ-દેવડ કરશે નહીં. બેન્કના વકીલે તર્ક આપ્યો કે કક્કડ઼ ભારે માત્રામાં દેવાના પુનર્ભુક્તાનના દાયિત્વને બચાવવા માટે તથાકથિત કાયદાકીય કૌશલ્યનો લાભ લેવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેના બદલે દેવા ચુકવવામાં તેનો ઉપયોગ કરે. તે રજૂ કરવામાં આવ્યું છે કે જો યાત્રાની પરવાનગી મળે તો સંભાવના છે કે તે ન્યાયથી ભાગી શકે છે. આ પ્રકારે વિવિધ મંચો સમક્ષ લાંબી કાર્યવાહી અનાવશ્યક રુપે લંબાઈ રહી છે.
તેમણે એવો પણ તર્ક આપ્યો કે કક્કડ઼ પાસે આઈબીસી કલમ 105 અંતર્ગત 2024ના સોગંદનામાના માધ્યમથી વિવિધ હિતધારકોના 50 લાખ રૂપિયાની રકમ ભરવાની યોજના હતી, જેનો દાવો તેમના દ્વારા કરાયેલી રકમ 29,47,62,43,121 હતી જે અસરકારક તારીખથી 18 મહિનામાં ચૂકવવાપાત્ર હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અરજદાર દ્વારા વ્યક્તિગત ગેરંટર તરીકે સબમિટ કરાયેલ આ ચુકવણી યોજના પર તમામ લેણદારો અસંમત છે અને મતદાન કરવાની છેલ્લી તારીખ 15.10.2024 હતી.
કેસ- Sunil Surendrakumar Kakkad Versus Union of India & ORS.