Monday, May 19, 2025
HomeGujaratસાપુતારા ફરવા ગયેલા મિત્રોને નડ્યો અકસ્માત, 2ના મોત અને 2ને ગંભીર ઈજા

સાપુતારા ફરવા ગયેલા મિત્રોને નડ્યો અકસ્માત, 2ના મોત અને 2ને ગંભીર ઈજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વાંસદા: Saputara News: ગુજરાતમાં માર્ગ અકસ્માતની (Road Accident) ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. અકસ્માતના પગલે દરરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં કેટલાક કિસ્સામાં વાહનચાલકો પોતાની બેદરકારીથી અથવા તો અન્ય વાહનચાલકોની બેદરકારીને પગલે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના વાંસદા-વઘઈ હાઈવે પરથી સામે આવી છે. જ્યાં પૂરઝડપે દોડી પહેલી કાર પલટી ખાઈ જતા અકસ્માત (Car Accident) સર્જાયો હતો. કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરત તેમજ વાંસદાની સરકારી હોસ્પિટલમાં મોકલી લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંસદાના સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

પ્રાપ્ત માહિત મુજબ, આજરોજ 4 જેટલા મિત્રો કારમાં અંકલેશ્વરથી સાપુતારા ફરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સવારે 6 વાગ્યાના અરસામાં વાંસદા-વધઈ હાઈવે પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળ જ મૃત્યુ થયા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો પણ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. એમબ્યુલેન્સ અને પોલીસને જાણ કરતા બંને ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાંસદાની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

- Advertisement -

જ્યારે બે લોકોના મૃત્યના પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંસદાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે મૃતકના પરિવારને જાણ કરતા પરિવાર પણ તાત્કલિક હોસ્પિટલ દોડી ગયો હતો અને યુવકોના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હાલ આ મામલે વાંસદા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

મૃતક નામ
પાર્થ ડોબરિયા, રહેવાસી: અમરેલી
વીકેન ખાંટ, રહેવાસી: મોરબી

ઈજાગ્રસ્તના નામ
હર્ષિલ ઠુંમ્મર, રહેવાસી: અંકલેશ્વર
નીરજ ડોબરિયા, રહેવાસી: અંકલેશ્વર

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular