Friday, June 19, 2026
HomeNationalઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો? 6 સાંસદો અલગ જૂથ બનાવવાની તૈયારીમાં,...

ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો? 6 સાંસદો અલગ જૂથ બનાવવાની તૈયારીમાં, લોકસભા સ્પીકરને સોંપી શકે છે પત્ર

- Advertisement -

Uddhav Thackeray Shiv Sena news: Shiv sena (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) માટે રાજકીય રીતે વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. પાર્ટીના 6 બાગી લોકસભા સાંસદો આગામી દિવસોમાં પોતાનું અલગ સંસદીય જૂથ બનાવવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરભણીના સાંસદ સંજય જાધવને આ નવા જૂથના નેતા તરીકે આગળ ધપાવવામાં આવી શકે છે.

માહિતી મુજબ, સાંસદ શ્રીકાંત શિંદેએ થોડા સમય પહેલા આ તમામ સાંસદો સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બાગી સાંસદોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક વર્ષથી ઉદ્ધવ ઠાકરે પ્રત્યે (Uddhav Thackeray) પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ તેમની ફરિયાદો અને મુદ્દાઓ અંગે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

- Advertisement -

આ અગાઉ શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદો ગુરુવારે યોજાયેલી સંસદીય દળની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. આ ઘટનાએ પાર્ટીમાં ભંગાણના સંકેતોને વધુ મજબૂત બનાવ્યા છે. બેઠકમાં માત્ર અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે હાજર રહ્યા હતા. પાર્ટીના એકમાત્ર રાજ્યસભા સાંસદ સંજય રાઉત પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ગેરહાજર રહેલા સાંસદોમાં નાગેશ આષ્ટીકર, સંજય દેશમુખ, સંજય જાધવ, સંજય દીના પાટિલ, ઓમપ્રકાશ રાજેનિંબાલકર અને ભાઉસાહેબ વાકચૌરેનો સમાવેશ થાય છે. આ તમામ સાંસદોની ગેરહાજરીએ પક્ષમાં આંતરિક વિખવાદની ચર્ચાઓને વેગ આપ્યો છે.

બેઠક બાદ લોકસભામાં શિવસેના (ઉદ્ધવ)ના નેતા અરવિંદ સાવંતે જણાવ્યું હતું કે ગેરહાજર રહેલા તમામ 6 સાંસદોને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે પક્ષ તરફથી વ્હીપ જારી કરવામાં આવ્યો હોવા છતાં તેઓ બેઠકમાં કેમ હાજર રહ્યા નહીં તે અંગે જવાબ માંગવામાં આવશે. તેમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવશે. જો તેઓ સંતોષકારક જવાબ નહીં આપે તો તેમની સભ્યતા રદ કરવાની માંગ સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખવામાં આવશે.

- Advertisement -

બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેના આ 6 બાગી સાંસદોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં સંજય દીના પાટિલ, સંજય દેશમુખ, નાગેશ પાટિલ આષ્ટીકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય જાધવ હાજર રહ્યા નહોતા. આ તમામ સાંસદો અલગ જૂથ બનાવે તેવી અટકળો વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ઇન્ટેલિજન્સ કમિશનરના આદેશ બાદ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સૂત્રોનો દાવો છે કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ અને અપશબ્દોનો ભોગ બનેલા છ સાંસદો વધુને વધુ નારાજ થયા છે. આ નારાજગીને બેઠકથી દૂર રહેવાના તેમના નિર્ણયનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો કે, આ બાબતે સંબંધિત સાંસદો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular