Monday, May 19, 2025
HomeSeriesDeewal Seriesલોકઅપ બહાર રહેલો જવાન થોડી થોડી વારે અંદર નજર કરતો યુનુસ ને...

લોકઅપ બહાર રહેલો જવાન થોડી થોડી વારે અંદર નજર કરતો યુનુસ ને તેની નજર પસંદ પડતી ન્હોતી

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ.46 દીવાલ) : રાતના 9 વાગે ડીસીપી સિન્હા DCP Sinha જમીને ઊભા થયા પછી પોતાની ઓફિસની બારીમાં આવી ઊભા રહ્યા હાથમાં સીગરેટ Cigarettes અને લાઈટર હતું. થોડોક વખત વિચાર કર્યા પછી તેમણે સીગરેટ Cigarettes સળગાવી, ફરી સીગરેટ Cigarettes ના ધુમાડા સાથે વિચારમાં ખોવાઈ ગયા. તેમણે હોલમાં આતંકીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર ન્હોતા. બધા જ એક સરખુ રટણ કરી રહ્યા હતા. તેઓ અમદાવાદ Ahmedabad ક્યારેય આવ્યા નથી અને તેમને બ્લાસ્ટ Blast સાથે કોઈ નીસ્બત નથી. તેઓ બધા જ ઈસ્લામ Islam નું ધાર્મિક લેનાર અને ઈસ્લામ Islam ના આદેશનું પાલન કરનાર મુસ્લિમ છે. સિન્હા Sinha એ તેમને સમજાવ્યા, પ્રેમથી પુછ્યું પણ દરેક વ્યકિત એક સરખો જ જવાબ આપતો હતો કે અમે કાંઈ જાણતા નથી.



સિન્હા Sinha ને અંદાજ તો કે આ લાતોના ભુત છે પ્રેમથી નહીં લાતો પડ્યા પછી જ બોલશે. છતાં તેમણે વાત કરવાનો અને આરોપીઓને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો. સિન્હા Sinha ને પહેલી મુલાકાતમાં જ અંદાજ આવી ગયો કે આ 6માંથી સૌથી હોશિયાર ચાલાક અને મજબુત હોય તો તે ભોપાલનો મહંમદ Muhammad of Bhopal હતો. વ્યવસાયે વકીલ પણ હતો તેના કારણે કાયદો પણ જાણતો હતો. તેના કારણે તેને તોડવો અઘરો છે, પણ તેમને મારતા પહેલા કઈ એવી નક્કર કડીઓ તેમની સામે રજુ કરવી પડશે જેના કારણે તેઓને અંદાજ આવે કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પાસે પુરતા પુરાવા છે. હજી મહંમદ Muhammad ને ખબર ન્હોતી કે સિન્હા Sinha પાસે કેટલા પુરાવા છે. સિન્હા Sinha પહેલી મુલાકાતમાં એવો દાવો કર્યો હતો કે તેમની પાસે પહેલાથી છેલ્લાં સુધીના બધા પુરાવા છે, સિન્હા Sinha માનતા હતા કે આ આતંકીઓ તેમની વાત ઉપર ભરોસો કરશે અને પોપટની જેમ બોલવા લાગશે, પણ તે ધારણા ખોટી પડી, આતંકીઓના ચહેરા કહેતા કે તમારી પાસે એક પણ પુરાવો નથી અને તમે અમારૂ કઈ બગાડી શકશો નહીં.

હોલમાં લાંબી પુછપરછ છતાં તે પૈકી એક પણ વ્યકિત કઈ બોલી નહીં, ડીસીપી DCP એ તેમને લોકઅપ Lockup માં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો. બધા ચહેરા ઉપર એક નિશ્ચિંતતા હતી. પણ મહંમદ Muhammad કઈ વિચારી રહ્યો હતો, તેના કપાળની રેખા થોડી થોડી વારે તંગ થઈ રહી હતી. તેનો અર્થ એક માત્ર યુનુસ Yunus સમજતો હતો, તેને ખબર પડી ગઈ હતી કે મહંમદ Muhammad ના મગજમાં કોમ્પ્યુટરની ગતી કરતા વધુ ઝડપે કઈક વિચારવાનું ચાલી રહ્યું છે. જમવાનો ટાઈમ થયો એટલે તેમના માટે એસઆરપી SRP નો એક જવાન 6 ટીફીન લઈ આવ્યો, તે કઈ બોલ્યો નહીં, લોકઅપ Lockup નો દરવાજો ખોલ્યો અને ટીફીન મુકી જતો રહ્યો. લોકઅપ Lockup ની બહાર પહેરો ભરી રહેલો એક જવાન થોડી થોડી વારે લોકઅપ Lockup માં નજર કરી લેતો હતો. યુનુસ Yunus ને તે જવાનની નજર ગમતી ન્હોતી, જો કે તેનું કામ લોકઅપ Lockup માં રહેલી વ્યકિતઓ ઉપર નજર રાખવાનું હતું. ટીફીન આવ્યાની થોડીવાર પછી યુનુસ Yunus ને વિચારમાંથી બહાર કાઢવા માટે પુછ્યું ખાના આ ગયા હૈ, ખા લેતે હૈ. યુનુસ Yunus નો દાવ સફળ થયો મહંમદ Muhammad સફાળો જાગ્યો હોય તેમ તંદ્રામાંથી બહાર આવ્યો, તેણે કહ્યું હા હા ખા લેતે હૈ, બધા ટોળે વળી જમવા બેઠા, ટીફીન ખોલતા જ હૈદરાબાદ Hyderabad ના ચાંદ અને દાની Chand and Dani
શે કહ્યું અરે ક્યા ખાના હૈ, મહંમદે Muhammad ટીફીના ડબ્બા જોયા, 3 રોટલી, બટાકાનું ભરપુર પાણીવાળુ શાક અને દાળ ભાત હતા.



મહંમદે Muhammad ટીફીન સામે જોયુ અને પછી ચાંદ Chand સામે જોતા કહ્યું અબ ઈસકી આદત ડાલ દો, ઔર ઈસીકો મટન બીરીયાની સમજ કે ખાના શીખ લો. યુનુસ Yunus ના ચહેરા ઉપર એક સ્મીત આવ્યું, કેરળના અબુ અને રીયાઝે Abu and Riyaz તો જાણે પહેલી વખત કોઈ વિચિત્ર પ્રકારનું ભોજન જોયું હોય તેમ તેઓ ટીફીન જોતા રહ્યા. ટીફીનમાં ભાત તો માંડ એક વાટકી જેટલા જ હતા, તેમણે દાળના ડબ્બામાં આંગળી ફેરવી દાળ શોધવાનો પ્રયત્ન કર્યો, તેમણે મહંમદ Muhammad સામે જોયુ. તેણે જમવાનું શરૂ કરી દીધુ હતું, તે જોઈ તેમણે પણ દાળ અને ભાત ખાવાની શરૂઆત કરી હતી. ચાંદે Chand જમતા જમતા મહંમદ Muhammad સામે જોતા કહ્યું ડીસીપી DCP હમારી બાતો પે ભરોસા કર રહા હૈ એસા લગતા હૈ, મહંમદે Muhammad કઈ જવાબ આપ્યો નહીં, પણ રોટલીમાં બટાકાનું શાક લીધુ અને કોળીયો મોંઢામાં મુકતા ઉંચી નજર કરી ચાંદ Chand સામે દાનીશે Danis કહ્યું ચાંદ Chand યહ ગુજરાત પુલીસ Gujarat Police હૈ ઉનકો અંડરએસ્ટીમેટ મત કરો. મહંમદે Muhammad ફરી દાનીશ સામે જોયું. ચાંદ વિચારમાં પડી ગયો હતો, મહંમદે Muhammad દાળ-ભાત ખાવાની શરૂઆત કરી, તેણે જોયું તો ચાંદ હાથમાં રોટલીનો કોળીયો લઈ બેઠો હતો, મહંમદે Muhammad ચાંદ સામે જોતા કહ્યું ચાંદ જલદી ખાના ખા લો અબ હમારી ધુલાઈ હોને વાલી હૈ. બધાનું જમવાનું બંધ થઈ ગયું, બધા મહંમદ Muhammad સામે જોવા લાગ્યા. મહંમદે Muhammad ટીફીન બંધ કરતા કહ્યું મેં ક્રિમીનલ લોયર હું, મેં પુલીસ કે કામ કરને કી સ્ટાઈલ જાનતા હું, ડીસીપી DCP ને હમ સે પહેલે પ્યાર સે બાત કી અબ વો હમસે ઈસ ભાષા મેં બાત નહીં કરેગે.

- Advertisement -

બધાના ચહેરા ગંભીર થઈ ગયા, મહંમદે Muhammad વાત કરતા કહ્યું થોડી દેર મેં હમે બહાર નિકાલા જાયેગા, ઔર હમારી પીટાઈ કરેંગે, તો માર ખાને કો તૈયાર હો જાઓ. બીજી તરફ સીગરેટ Cigarettes પુરી થતાં સિન્હા Sinha એ બેલ વગાડી ફરી પાછા બારી પાસે ઊભા રહ્યા, તેમની ચેમ્બરનો દરવાજો ખુલ્યો અને કમાન્ડોએ પુછયું જી સર, સિન્હા Sinha એ પાછળ જોયા વગર કહ્યું જાડેજા Jadeja કો બોલો વો જુહાપુરા Juhapura વાલે પરવેઝ Pervez કો લેકર મેરે પાસ આયે. કમાન્ડો સર કહી નિકળી ગયો, થોડીવાર પછી દરવાજો નોક થયો, જાડેજા Jadeja એ પુછયું સર આવુ, સિન્હા Sinha એ પોતાની ખુરશીમાં બેસતા કહ્યું આવો જાડેજા Jadeja , તેમની સાથે એક પાતળાબાંધોનો છોકરો હતો, તેણે જીસીપી JCP ને જોતા હે હાથ જોડયા. ડીસીપી DCP એ તેની આંખોમાં જોયું તે ધ્રુજી ગયો, જાડેજા Jadeja એ કહ્યું સર આ પરવેઝ Pervez છે, જુહાપુરા Juhapura માં રહે છે, મોબાઈલની દુકાન છે, તેની દુકાનમાંથી સીમકાર્ડ વેચાયા હતા.



મેં તેને બધી રીતે સમજાવ્યો પણ તે કહે છે મને કઈક ખબર જ નથી, સિન્હા Sinha ખુરશીમાંથી ઊભા થયા, અને ટેબલની બહાર નિકળી સામે ઊભા રહેલા પરવેઝ Pervez ને એક લાફો મારતા ગાળ બોલ્યા મા… અને પરવેઝ Pervez જમીન ઉપર પડી ગયો, તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, તેણે રડતા રડતા જમીન ઉપર પડેલી દશામાં જ કહ્યું સર સચ બોલતા હું, મેં કુછ નહીં જાનતા, ગરીબ આદમી હું, મુઝે બ્લાસ્ટ કે બારે મેં પહેલી ભી કુછ નહીં પતા થા, ઔર બાદ મેં ભી નહીં, જાડેજા jadeja એ પરવેઝ Pervez ને કોલરમાંથી પકડતા કહ્યું ઉઠ જા ચલ ડીસીપી DCP એ પોતાના બંન્ને હાથથી પરવેઝ Pervez ની ફેંટ પકડી તેને હચમચાવી નાખતા કહ્યું જુઠ બોલા તો પીછે સે ખુન નિકલા દુગા, સાલે ધંધા કરતા હૈ, લેકીન ધંધે કે અસુલ નહીં જાનતા, પરવેઝે Pervez આંસુ લુછતાં કહ્યું સર એક આદમી મેરી દુકાન પે આયા થા, ઉસને કહા સીમકાર્ડ ચાહીયે, મેને આઈડી પ્રુફ માંગા ઉસને કહા, કલ દે જાઉગા ફીર વો આયા હીં નહીં. પછી પોતાના ગળા ઉપર હાથ મુકતા કહ્યું ખુદા કી કસમ મુઝે નહીં પતા થા કી વો બ્લાસ્ટ Blast કરને વાલે હૈ, સિન્હા Sinha એ પરવેઝ Pervez ને પુછ્યું તુ સીમકાર્ડ લે જાને વાલે કો તો પહેંચાન લેગા ના..

(ક્રમશઃ)

PART – 45 | સિન્હા ને લાગી રહ્યુ હતુ કે સરકારી વકિલ એટલી નબળી દલીલ કરે છે જો પોતે પણ જ્જ હોય તો પણ અરજી ફગાવી દેતા

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular