પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): કોરાની સ્થિતિ વણસી રહી છે છતાં લોકો તેની ગંભીરતા સમજી શકતા નથી, જેના કારણે કાયદાનું પાલન કરાવતી પોલીસ ઉપર ભારણ અને જીવનું જોખમ વધી રહ્યુ છે, કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ પોલીસના સેકડો પોલીસ જવાનો અધિકારી સંક્રમીત થયા હતા તે પૈકી 19 પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો હતો, કોરાનાની ત્રીજી લહેર પણ પોલીસ માટે ધાતક બની રહી છે, હમણાં સુધી અમદાવાદ પોલીસના 351 જવાનો અધિકારીઓ સંક્રમીત થઈ ચુકયા છે, પરંતુ ઉતારયણનો બંદોબસ્તમાં રહેલી પોલી પૈકી એક જ દિવસમાં કુલ 85 પોલીસ જવાનો સંક્રમીત હોવાની જાણકારી મળતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ચૌકી ઉઠયા છે
આ અંગે માહિતી આપતા અમદાવાદ પોલીસ ક્રંટ્રોલ રૂમના ડીસીપી ડૉ હર્ષદ પટેલે જણાવ્યુ હતું હમણાં સુધી અમદાવાદ શહેરના કુલ 351 જવાનો અધિકારી સંક્રમીત થયા છે જેમને હોમ આઇસોલેશનમાં મોકલી સારવાર આપવામાં આવી છે, જેમાં એક જ દિવસમાં 85 જવાનો સંકમીત થયા છે. આ ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પોલીસ જવાનો-હોમગાર્ડ અને એસઆરપી જવાનો વેકસીનનો ત્રીજો ડોઝ મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું આોજન કરવામાં આવ્યુ છે આ ઉપરાંત કોઈ પણ જવાન અને અધિકારીને લક્ષણ જેવા મળે તો તુરત તેમનો આરટીપીઆર ટેસ્ટ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અમે સતત તમામ બાબતોનું મોનીટરીંગ કરી રહ્યા છીએ જુઓ વિડિયો
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












