Monday, May 19, 2025
HomeGujaratVadodaraવડોદરામાં ફ્લેટ ધરાશાયીઃ લોકોએ દોટ મુકી અને જીવ બચાવવામાં સફળ થયા

વડોદરામાં ફ્લેટ ધરાશાયીઃ લોકોએ દોટ મુકી અને જીવ બચાવવામાં સફળ થયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરામાં (Vadodara) એક મોટી દુર્ઘટના સામે આવી છે. વડોદરાના સમતા વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રે એક ફ્લેટ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે આ બિલ્ડિંગ પડતા પહેલા હલતી હતી. જેના કારણે ફ્લેટના રહિશોએ જીવ બચાવવા માટે દોટ મુકી હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં હજી સુધી જોઈ જાનહાનીના થઈ હોવાનું જાણવા મળ્યું નથી. જોકે આ બનાવ કેવી રીતે બન્યો?

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) પાસે 20 એપ્રિલની રાતે 10.30 વાગ્યાની આસપાસ 3 માળનો સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી હતી. ઈમારત હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ દરમિયાન બે યુવકો ફસાઇ ગયા હતા. સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પરિવારની 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળી જતાં તેમનો પણ બચાવ થયો હતો. 10.45એ ઘટનાની જાણ થતા ફાયર વિભાગને કરવામાં આવતા 11 જેટલી ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં? તેની પુષ્ટી કરવા માટે જેસેબીની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વિસ્તારને કોર્ડન કર્યો હતો. ઘટનાને પગલે 4 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

- Advertisement -

વડોદરાની ઈમારત કેમ પડી?

સમતાના 33 વર્ષ જૂના સૂર્ય કિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો, જેનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન રવિવારે મોડી રાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાયી થતાં 2થી 3 પરિવારોના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા. જોકે તેની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી તેમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગ રૂપે નીચે ઉતારી લેવાયા હતા. ઘટનાને સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી હતી. જોકે ઈમારત જર્જરિત હોવાને કારણે પડી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ ખરુ કારણ આગામી તપાસ દરમિયાન સામે આવશે.

ફાયર બ્રિગેડની ત્રણ ટીમ અંદર કોઇ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વીજ પૂરવઠો ના હોવાથી હેલોજન લગાવી કામગીરી કરવામાં આવી હતી. તે સાથે 4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

જો. પોલીસ કમિશનર લીના પાટીલે શું કહ્યું?

જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશનનું કામ ચાલતું હતું. દીવાલ પર દીવાલ હોય તેમ સ્ટ્રક્ચર હતું. જેથી કામગીરી દરમિયાન વચ્ચેની દીવાલ હટાવી દેવાના કારણે ફ્લેટ ધરાશાયી થયા હોય તેવી સંભાવના છે.

- Advertisement -

સમતા વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલો 3 માળનો સૂર્ય કિરણ ફ્લેટ ધરાસાયી થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ફ્લેટમાં રહેતા રહીશોએ પોતાનો જીવ બચાવવામાટે ભાગદોડ કરી હતી. બે યુવકો ફસાઇ ગયા હતા પણ તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 3 મહિલાઓ સહિત 1 યુવક બહાર નીકળતા તેમનો પણ બચાવ થયો હતો. રાત્રે જેસીબીની મદદથી કાટમાળ હટાવી કોઇ દબાયું છે કે નહીં તેની પુષ્ટી શરૂ કરાઇ હતી.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular