અમદાવાદઃ કાયદાનો કોરડો દરેક માટે સરખો વીંઝાય અને આ પ્રમાણે ન્યાય થાય તેવું આપણે હંમેશા ઈચ્છીએ છીએ. હાલમાં જ ભાવનગરના (Bhavnagar) એક ભાજપ નેતા દ્વારા સોશ્યલ મીડિયા પર મુસ્લિમો સામે અયોગ્ય પોસ્ટ મુકી જોકે બાદમાં ગભરામણ થતા તેને ડિલીટ પણ કરી નાખી. આ મામલે પૂર્વ આઈપીએસ અધિકારી અને પોતાના નીડર વક્તા સાથે લેખક તરીકેની છાપ ધરાવતા રમેશ સવાણીએ (Ramesh Savani) સોશ્યલ મીડિયા પોસ્ટ કરતા કાયદાના રખેવાડોને સમસમી જાય તેવા સવાલો કર્યા છે.
તેમણે પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ મુકતા હેડિંગ આપ્યું છે કે, શું ભાવનગરમાં ગોડસેનો પુનર્જન્મ થયો છે?
આ સાથે તેમણે પોતાની પોસ્ટમાં નવજીવન ન્યૂઝના સમાચારને ટાંકીને વાત કરી છે. નવજીવન ન્યૂઝે 18 એપ્રિલે આ વાત ઉજાગર કરી હતી. જેમાં ભાજપ નેતાએ ફેસબુક પર લખ્યું હતું:
“શાંતિ અને એકતાની વાતો નિર્બળ અને છક્કાઓ કરે છે. આપણે હુમલો કરી સમૂળગો વિનાશ કરી દેવાની જરુર છે… હિન્દુઓ જાગો અને મર્દ બનો અને આ ****ઓને જન્નત નસીન કરાવી દો… એક હિન્દુને મારે તો 10 ****ઓને મારી નાખવા જોઈએ… આ ભારતમાં 0.0 મુસ્લિમો જ રાષ્ટ્રપ્રેમી છે. બાકીના બધા કટવાવો પાકિસ્તાન પ્રેમી છે.” (અહીં કેટલાક શબ્દોને રિમુવ કરાયા છે.)
આ પોસ્ટ ડિલીટ કરવામાં આવ્યા પછી પણ રમેશ સવાણીએ નીચેના પ્રશ્નો ગુજરાત પોલીસ અને સરકારને લઈને ઊભા કર્યા છે:

મુખ્ય પ્રશ્નો:
- શું ભાજપના નેતા હોવાથી કાયદો લાગુ નથી પડતો?
- કોંગ્રેસના નેતા ઇમરાન પ્રતાપગઢી પર BNS કલમ-196, 197(1), 302 હેઠળ કેસ નોંધાયો, પરંતુ અમર આચાર્ય સામે કાર્યવાહી શા માટે નહીં?
- પોલીસની નિષ્ક્રિયતા:
- શું ભાવનગરના SP, રેન્જ IG અથવા ગુજરાત DGPની ફરજ નથી કે આવા દુષ્કૃત્ય પર કાર્યવાહી કરે?
- ભાજપના લઘુમતી મોરચાને અમર આચાર્યના નફરતી/ ધૃણાસ્પદ/ ગુનાહિત શબ્દોમાં અમૃત વચનો દેખાયા હશે?
- માની લઈએ કે ભાવનગરના પોલીસ વડા ઈરાદાપૂર્વક નિષ્ક્રિય રહ્યા તો રેન્જ પોલીસ વડા/ ગુજરાતના પોલીસ વડાની ફરજ ન હતી કે ભાવનગરના SPનો કાન આમળે?
- બેઈમાનીનો આરોપ:
- જો કોઈ મુસ્લિમ નેતા આવા શબ્દો હિન્દુઓ માટે વાપરે, તો પોલીસની સક્રિયતા કેટલી હોત? શું BJP તાલુકાઓમાં રેલીઓ ન કાઢેતી?
- છળકપટનો આરોપ:
- આ અમર આચાર્ય મુસ્લિમો વિરુદ્ધ બીજાને ઉશ્કેરીને પોતે તો IPS સફી હસન સાથે ગોઠડી કરે છે ! શું આ અમર આચાર્યનું છળકપટ નથી? સત્તાપક્ષના મા નેતાઓ જાહેરમાં નફરત ફેલાવી શકતા નથી એટલે અમર આચાર્યને નફરત ફેલાવવાનો છૂટો દોર આપ્યો હશે?
- મોટો સવાલ:
- “જ્યારે વડાપ્રધાન ‘ઘૂસપેઠિયા‘, ‘વધારે છોકરાવાળા‘ જેવા શબ્દો વાપરે, ત્યારે નીચેના નેતાઓમાં નીચતાનો વિસ્ફોટ થાય છે. શું આ બહુમતીના મતો માટે ‘ફર્ટિલાઇઝર‘નું કામ કરે છે?”

નિષ્કર્ષ:
સવાણીએ તેમના પોસ્ટમાં પૂછ્યું છે: “શું ભાવનગરમાં ગોડસેનો પુનર્જન્મ થયો છે? “ આ પ્રશ્નો ગુજરાતમાં કાયદાનું શાસન, પોલીસની નિષ્પક્ષતા અને સત્તાધીશોની જવાબદારી પર આંગળી ચીંધે છે.

પોલીસની પ્રતિક્રિયા:
આ લેખ લખાયા સુધીમાં ભાવનગર પોલીસે આ મામલે કોઈ પગલાં લીધા નથી. અમર આચાર્ય અથવા ભાજપના અધિકૃત વક્તાએ પણ આ વિષયે પ્રતિક્રિયા આપી નથી.
રમેશ સવાણીનો અંતિમ સવાલ: “સૈયાં ભયે કોતવાલ તો ડર કાહે કા? શું આ જ કારણથી સત્તાપક્ષના નેતાઓમાં આવી હિંમત આવે છે?”
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796