નવજીવન ન્યૂઝ.રાજકોટઃ સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા ઘણી વખત સાવચેતી રાખે નહીં તો કેવી સ્થિતિ થઈ શકે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. રાજકોટમાં(Rajkot) એક સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ (Buttermilk) આપ્યા બાદ બાળકોને ફૂડ પોઈઝનીંગ (Food poisoning) થઈ ગયું અને આ બાળકોને લઈને તુરંત હોસ્પિટલ તરફ દોટ લગાવવાની થઈ છે. અહીં સુધી કે એક બાળકની હાલત અત્યંત ગંભીર હોઈ તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.
રાજકોટમાં ગઈકાલે રાત્રીના સમયે ફૂડ પોઇઝિંગની ઘટના બની છે. ભવાનીનગર વિસ્તરમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાત્રિના સમયે 15 જેટલાં બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના રામનાથ પરા પાસે આવેલા ભવાનીનગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. આ વિસ્તારનાં બાળકોએ તે છાશ પીધા બાદ લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. છાશ પીધા બાદ બાળકોની એકાએક તબિયત લથડવા લાગી હતી અને ઊલટી કરવા લગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભવાનીનગર વિસ્તારના જ રહેવાસી 12થી 15 બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. મોટાભાગના બાળકોની તબિયત સ્થિર હોવાની જાણકારી મળી છે, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. એક જયરાજ નામના બાળકને હાલ (આ લખાય છે ત્યારે) હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે અને તેની ઉંમર 10 વર્ષ છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં બાળકોને ફૂડ પોઈઝન થતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગરમીનો માહોલ ખુબ તિવ્ર છે. જેમાં પ્રાણી, પક્ષી, માણસ સહિત લગભગ દરેક જીવ માટે આપણે કોઈને કોઈ રીતે સેવા કાર્યો કરતા હોઈએ છીએ. આવા કાર્યો દરમિયાન ફૂડ ક્વોલિટી પર પણ એટલું જ સાવચેત રહેવું જરૂરી છે. આવા કાર્યો કરતા કોઈ મોટી દુર્ઘટનાને આપણે આમંત્રિત ના કરી દઈએ તેની તકેદારી જરૂરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796