Monday, May 19, 2025
HomeGeneralઅરવલ્લીમાં જાનૈયાઓ પર ગોળીબારઃ નિવૃત્ત PSI અને તેના પુત્રએ કર્યા ત્રણ લોકોને...

અરવલ્લીમાં જાનૈયાઓ પર ગોળીબારઃ નિવૃત્ત PSI અને તેના પુત્રએ કર્યા ત્રણ લોકોને ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લીમાં જાન જ્યારે પાછી આવી રહી હતી ત્યારે ગોળીબાર થયાની ઘટના બની છે. ગુરુવારે બનેલી આ ઘટનામાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.અરવલ્લીમાં જાનૈયાઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વરધોડા પર ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગ થતાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ આ મામલાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ભિલોડાના ભાણમેર ગામમાં વરઘોડો જ્યારે કન્યા તેડાવી પાછો આવી રહ્યો હતો તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત PSI કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. જેમાં એક 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અરવલ્લીમાં ભાણભેર ગામમાં વરઘોડામાંથી પરત ફરી રહેલા લોકો પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ નિવૃત્ત PSI કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે સર્વિસ રિવોલ્વરથી લોકો પર 5-6 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની જાણકારીઓ સામે આવી છે. જેમાં એક 9 વર્ષની બાળકી, એક આધેડ અને એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. ફાયરિંગના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભિલોડા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર માટે તેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ, ફાયરિંગ કરનાર બંને પિતા-પુત્ર સામે FIR દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હુમલાનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર મામલે પોલીસે સ્થાનિકોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular