નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તમાવ વચ્ચે એક મોટી માહિતી સામે આવી રહી છે. જેમાં આઈપીએલ ની 18મી સીઝનને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ગત રોજ 8મી તારીખે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ હતી જેને વચ્ચે રોકી દેવાઈ હતી. ધર્મશાળામાં રમાતી આ મેચમાં સુરક્ષા સંબંધીત ચેતવણી મળ્યા પછી મેચને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોતા ઘણા વિદેશી ખેલાડી ડરેલા હતા. એટલું જ નહીં ઘણા ખેલાડીઓએ પાછા પોતાના દેશ જવા માટે અપીલ પણ કરી હતી. જે પછી બીસીસીઆઈએ હાલ સુરક્ષાને ધ્યાને રાખીને મેચને સ્થગિત કરી દેવાનો નિર્ણય કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈંગ્લેન્ડ સીરીઝ પછી આઈપીએલ 2025ની બાકી મેચ પુરા કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયા 1 જૂન 2025થી 31 જુલાઈ 2025 વચ્ચે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની સિરીઝ રવામાં આવશે. હાલ પડોશી દેશ પાકિસ્તાન સાથેના ભારતના ઘર્ષણને જોતા આઈપીએલને અનિશ્ચિત કાળ સુધી સ્થિગિત કરી દેવાઈ છે.આગામી મેચનું શું છે? ક્યાં અને ક્યારે રમાશે તેની કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. પાકિસ્તાનમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપરલીગને યુએઈમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796