Wednesday, April 29, 2026
HomeGeneralએસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો રિપોર્ટ: ભાજપ સૌથી ધનિક પાર્ટી, પરંતુ કોંગ્રેસ બીજા...

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો રિપોર્ટ: ભાજપ સૌથી ધનિક પાર્ટી, પરંતુ કોંગ્રેસ બીજા નંબર પર નહીં

- Advertisement -

નવજીવન.નવી દિલ્હી: ચૂંટણી સુધારોની તરફેણ કરનાર સમૂહ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો રિપોર્ટ જાહેર થયો છે. ભાજપે નાણાકીય વર્ષ 2019-20માં 4,847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. ત્યારબાદ BSP 698.33 કરોડ રૂપિયા અને કોંગ્રેસે 588.16 કરોડની સંપત્તિ જાહેર કરી છે.



નાણાકીય વર્ષ દરમિયાન સાત રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિ અનુક્રમે રૂ. 6,988.57 કરોડ હતી. એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે સાત રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ (રૂ. 4847.78 કરોડ ), બસપા (રૂ. 698.33 કરોડ ) અને કોંગ્રેસ (588.16 કરોડ ) દ્વારા મહત્તમ સંપત્તિ જાહેર કરવામાં આવી હતી.

ADR મુજબ, 44 પ્રાદેશિક પક્ષોમાંથી, ટોચના 10 પક્ષોની સંપત્તિ 2028.715 કરોડ રૂપિયા અથવા તે તમામ દ્વારા જાહેર કરાયેલ કુલ 95.27 ટકા હતી. નાણાકીય વર્ષ 2019-20 માં પ્રાદેશિક પક્ષોમાં સમાજવાદી પાર્ટીએ સૌથી વધુ સંપત્તિ 563.47 કરોડ રૂપિયા જાહેર કરી. ત્યારબાદ TRS 301.47 કરોડ રૂપિયા જાહેર કરી છે. નાણાકીય વર્ષ 2019-20માં પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલી કુલ સંપત્તિમાં ફિક્સ્ડ ડિપોઝિટ/FDRનો હિસ્સો સૌથી વધુ રૂ. 1,639.51 કરોડ (76.99 ટકા) હતો.



નાણાકીય વર્ષ માટે FDR/ફિક્સ્ડ ડિપોઝિટ કેટેગરી હેઠળ, BJP અને BSPએ અનુક્રમે રૂ. 3,253.00 કરોડ અને રૂ. 618.86 કરોડની જાહેરાત કરી હતી. જે તમામ રાષ્ટ્રીય પક્ષોમાં પ્રથમ અને બીજા ક્રમે છે, જ્યારે કોંગ્રેસે આ શ્રેણીમાં રૂ. 240.90 કરોડ જાહેર કર્યા છે. પ્રાદેશિક પક્ષોમાં સપા (રૂ. 434.219 કરોડ), TRS (રૂ. 256.01 કરોડ), AIADMK (રૂ. 246.90 કરોડ), DMK (રૂ. 162.425 કરોડ), શિવસેના (રૂ. 148.46 કરોડ), BJD (રૂ. 118.425 કરોડ જેવા પક્ષોએ ડિપોઝીટ હેઠળ સૌથી વધુ સંપત્તિ જાહેર કરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular