નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: ભાવનગરમાં ગેરકાયદેસર દબાણના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર (Bhavnagar Municipal Corporation) દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ કામગીરી કરતા દબાણ હટાવ શાખાના (Demolition Team) કર્મચારીઓ પર ગતરોજ શનિવારે હુમલો (Mob attacked) થતા નાસભાગ મચી ગઈ હતી. અજાણ્યા શખ્સો દ્વારા સરકારી કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવતા પોલીસની (Bhavnagar Police) કામગીરી પર સવાલો પેદા થયા છે.
મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રિના સમયે ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન મનપાના કર્મચારીઓ શહેરની શેર એ પંજાબ હોટલ નજીક ટ્રક લઈ ઉભા હતા. ત્યાં અચાનક જ કેટલાક અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને કર્મચારીઓ સાથે માથાકૂટ કરી વાહનમાં તોડફોડ કરી નાસી ગયા હતા. અચાનક હુમલાની ઘટનાને કારણે કર્મચારીઓના જીવ અધ્ધર ચઢી ગયા હતા અને જીવ બચાવવા નાસભાગ કરતા જોવા મળ્યા હતા.
દબાણ હટાવ શાખાના કર્મચારીઓ પર ટોળા સ્વરૂપે હુમલામાં અજાણ્યા 20-25 શખ્સો સામેલ હોવાની માહિતી સામે આવી છે. જેમાં મામલે મનપાના કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસ આ મામલે સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરી મામલાની તપાસ કરી રહી હોવાના અહેવાલ છે. પરંતુ આ પ્રકારને સરકારી કર્મચારીઓને ફરજ દરમિયાન જ હુમલાનો ભોગ બનવું પડે તે વાત પોલીસની નબળી કામગીરીની ચાડી ખાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








