Thursday, April 23, 2026
HomeGeneralચૂંટણીમાં હરાવી ન શકી, તેથી કેજરીવાલની હત્યા કરવા માગે છે BJP: મનીષ...

ચૂંટણીમાં હરાવી ન શકી, તેથી કેજરીવાલની હત્યા કરવા માગે છે BJP: મનીષ સિસોદિયા- જુઓ Video તેમના ઘર આગળ શું થયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે પંજાબમાં આપની પ્રચંડ જીત પછી ભાજપ અરવિંદ કેજરીવાલને મારવા માગે છે. આજે પોલીસની હાજરીમાં ભાજપના ગુંડા સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગયા. તે અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં હરાવી ન શક્યા તો તેમની હત્યા કરવા માગે છે. તે લોકો જાણી જોઈને પોલીસને લઈને ગયા, બેરિયર તોડ્યા, આ મામલામાં તે લોકો ખતરનાક ખેલ રમી રહ્યા છે. પોલિટિક્સ તો બહાનું છે, આ તો સીધે સીધો ક્રિમિનલ મામલો છે. કોઈ પણ સીએમના ઘર સુધી ગુંડા આવી રીતે પહોંચી શકે?


દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ભાજપ યુવા મોરચાએ ધરણા કર્યા હતા. સવારે 11:30 વાગ્યે ધરણા શરૂ થયા, કાશ્મીર ફાઇલ પર મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનથી નારાજ 150 થી 200 કાર્યકરો તેમના નિવાસસ્થાનની બહાર વિરોધ કરવા આવ્યા. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાક પ્રદર્શનકારીઓ 2 બેરિકેડ તોડીને મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. દેખાવકારોની સાથે એક પેઇન્ટ બોક્સ પણ હતું, નિવાસસ્થાનના ગેટ પર પેઇન્ટ રેડવામાં આવ્યો હતો, બૂમ બેરિયર અને સીસીટીવી કેમેરા તૂટેલા જોવા મળ્યા હતા. પોલીસે 70 લોકોની અટકાયત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -


AAP નેતા સંજય સિંહે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જીના નિવાસસ્થાન પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને તેમને રોકવાને બદલે દિલ્હી પોલીસ તેમની સાથે ઉભી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપવાળાઓ યાદ રાખજો, દરેકનો હિસાબ થશે, આ લોકશાહી છે, અહીં સમય આવશે ત્યારે લોકો તમને વોટની લાકડીઓથી મારશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular