વિનય સોલંકી (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત નશાબંધી મંડળના ઉપક્રમે અમદાવાદ ખાતે ચાલતા પરિવર્તન વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ ઘર પરત ફરી રહેલા પુત્રની સામે જોઈ અમદાવાદની એક માતાનું હૃદય ખુશીથી જુમી ઉઠ્યું છે. જે પુત્ર પડીકીથી શરૂ કરીને ગાંજાના નશાના હવાલે થઈ ગયો હતો. પુત્રની બરબાદી સતત માતા જોઈ રહી હતી. કારણ કે પુત્રના વ્યસનના કારણે ઘરમાં પણ ખટરાગ સતત રહેતો હતો. માતા સમજી ગઈ હતી કે પુત્ર જો આ જ રસ્તા પર વધુ ચાલ્યો તો તેના જીવનમાં અંધકાર જ રહેશે, પોતાના સંતાનના જીવનને ઉજાશ ભર્યું જોવા માગતી માતા સતત પ્રયત્નો કરતી કે દીકરો નશો છોડી દે પરંતુ તેના બધા પ્રયત્નો નિષ્ફળ નિવડતા હતા. આખરે ગુજરાત નશાબંધી મંડળની મદદ મળી અને તેમના જીવનમાં હવે જે ફેરફાર થયા છે તે આવો સાંભળીએ ખુદ માતા જ શું કહે છે.
અમદાવાદઃ ગાંજાના નશાના રવાડે ચઢેલા પુત્રને જોઈ દુઃખી થતી હતી માતા, હવે છે ખુશીના આંસુઃ Video#nashamuktikendra #navajivannews pic.twitter.com/068M3U3Uah
— Navajivan News (@NavajivanNews) March 4, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












