Thursday, April 16, 2026
HomeGeneralઝારખંડ: મની લોન્ડ્રિંગ કેસમાં ખાણ સચિવ પૂજા સિંઘલની EDએ ધરપકડ કરી, લાંબી...

ઝારખંડ: મની લોન્ડ્રિંગ કેસમાં ખાણ સચિવ પૂજા સિંઘલની EDએ ધરપકડ કરી, લાંબી પૂછપરછ બાદ કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઝારખંડ: ઝારખંડના ખાણ સચિવ પૂજા સિંઘલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ લાંબી પૂછપરછ બાદ આ ધરપકડ કરી હતી. આ પહેલા સિંઘલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસે પહોંચી ગયા હતા. ઇડીએ તેમને મનરેગા ભંડોળની કથિત ઉચાપત અને અન્ય આરોપો સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં રાંચીમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા.



આ પહેલા ઝારખંડના ખાણ સચિવ પૂજા સિંઘલને મંગળવારે પણ પોતાનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા. ખૂંટીમાં મનરેગા ભંડોળના કથિત ગેરરીતિ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ અને અન્ય આરોપોની તપાસના સંદર્ભમાં તે તેમના પતિ સાથે અહીં ઇડી સમક્ષ હાજર થયા હતા. ઇડીએ મંગળવારે પૂજા સિંઘલની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઇડીએ 6 મેના રોજ ઝારખંડ અને કેટલાક અન્ય સ્થળોએ દરોડા પાડ્યા બાદ અમલદાર, તેમના પતિ, તેમની સાથે સંકળાયેલા એકમો અને અન્યની પૂછપરછ કરી છે. એજન્સીએ ચાર એસયુવી – એક જગુઆર, એક ફોર્ચ્યુનર અને બે હોન્ડા બ્રાન્ડની કાર પણ જપ્ત કરી છે જે સીએ સુમન કુમારના નામે હતી અથવા તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓને મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.



પૂજા સિંઘલ અને અન્યો સામેનો આ કેસ મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલો છે જેમાં ઝારખંડ સરકારના પૂર્વ જૂનિયર એન્જિનિયર રામ વિનોદ સિન્હાની ઈડીએ 17 જૂન 2020ના રોજ પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી. અગાઉ તેમની સામે સ્ટેટ વિજિલન્સ બ્યુરોની એફઆઈઆરનો અભ્યાસ કર્યા બાદ એજન્સી દ્વારા 2012માં પીએમએલએ હેઠળ કેસ દાખલ કરાયો હતો.

- Advertisement -

સિંહા પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની ગુનાહિત કલમો હેઠળ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર સંબંધિત ગુનાહિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ છે કે તેમણે 1 એપ્રિલ, 2008થી 21 માર્ચ, 2011 સુધી જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતી વખતે જાહેર નાણાંની છેતરપિંડી કરીને કથિત રીતે તેમના પોતાના નામે તેમજ તેમના પરિવારના સભ્યોના નામે રોકાણ કર્યું હતું.



એજન્સીએ અગાઉ કહ્યું હતું કે ખૂંટી જિલ્લામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) હેઠળ સરકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે ઉપરોક્ત નાણાં ફાળવવામાં આવ્યા હતા. સિંહાએ ઇડીને જણાવ્યું હતું કે “તેમણે જિલ્લા વહીવટીતંત્રને પાંચ ટકા કમિશન (છેતરપિંડીમાંથી) ચૂકવ્યું છે.”



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular