નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની (Rajkot) સામાન્ય સભામાં ‘અંધેરી નગરીમાં ગંડુરાજા’ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. RMCની સામાન્ય સભામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો સાંભળવાની જગ્યાએ મોબાઇલમા સોશિયલ મીડિયા વાપરતા નજરે પડ્યા હતા. માહિનામાં એક વખત કોર્પોરેશનમાં સામાન્ય સભા મળતી હોય છે, તેમાં પણ જો ચૂંટાયાલા જનપ્રતિનિધિઓ પ્રજના પ્રશ્નોનો પર ધ્યાન નહીં આપે તો આ પ્રશ્નોનું નિરકણ જ નહીં આવે. પરંતુ RMCના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જેવી રીતે મોબાઈલ ચલાવતા નજરે પડ્યા છે તે જોતાં તો એવું લાગે છે કે, રાજકોટની જનતાને જાણે કોઈ પ્રશ્ન જ નથી અને જો પ્રશ્ન છે તો આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાની કઈ પડી નથી.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત વિપક્ષ વગર સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નના સાંભળવાના બદલે મોબાઈલ ચલાવમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જોકે આ પ્રકારની પરિસ્થિત જોઈ શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે સભાઓ મળતી હોય છે, પરંતુ જનસેવકો જનતાના પરસેવાના ટેક્સની કમાણી AC હોલમાં બેસી ધુમાડો કરી રહ્યા છે.
સામાન્ય સભા સમાપ્ત થયા બાદ કોર્પોરેટરોએ બાહર નીકળતા પત્રકારોના સવાલમાં લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, “ઈમરજન્સી હતો એટલે માત્ર ફોનમાંથી જવાબ મોકલ્યો હતો.” બીજા એક કોર્પોરેટર પણ મેસેજ જોવા માટે ફોન જોયો હોવાનું બહાનું કાઢ્યું હતું.
જોકે કોર્પોરેટરના આવા વલણ બાદ રાજકોટના મેયર પ્રદીપ ડવે (rajkot mayor pradip dav)જણાવ્યું હતું કે, “સામાન્ય સભાની જ્યારે બેઠક મળતી હોય ત્યારે 1 કલાક રાજકોટના પ્રશ્નનું નિરાકરણ થાય અને વિકાસના કામોને વેગ મળે તે માટે સામાન્ય સભા મળતી હોય છે. પરંતુ મિડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અમુક કોર્પોરેટર સોશિયલ મિડિયા ચલાવતા સભામાં કેદ થયા હતા. જે બાબત યોગ્ય નથી, આ પ્રકારની બેઠક ફરીથી ન બને તે માટે સંકલનની બેઠકમાં તાકીદ કરવામા આવશે અને તેવી તકેદારી રાખીશું અને એકપણ કોર્પોરેટર સભામાં પોતાના ફોન ઉપયોગ નહીં કરી શકે તેવું આયોજન કરીશું.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796