Friday, May 1, 2026
HomeNationalપંજાબના CM ભગવંત માન આવતીકાલે માત્ર પરિવારની હાજરીમાં ડૉક્ટર ગુરપ્રીત કૌર સાથે...

પંજાબના CM ભગવંત માન આવતીકાલે માત્ર પરિવારની હાજરીમાં ડૉક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંજાબ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. CM ભગવંત માન 7 જુલાઈ, ગુરુવારે ચંડીગઢમાં ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભગવંત માનના છ વર્ષ પહેલા તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. તેમની પહેલી પત્ની અને બંને બાળકો અમેરિકામાં રહે છે. થોડા મહિનાઓ પહેલા બંને બાળકો તેમના પિતાના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

એવું કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ભગવંત માનની માતાની ઈચ્છા હતી કે તેમણે પોતાનું ઘર ફરીથી વસાવવું જોઈએ, અને મુખ્યમંત્રીની માતા અને બહેન દ્વારા તેમના માટે કન્યાની પસંદગી કરવામાં આવી છે.

- Advertisement -

લગ્નની ધાર્મિક વિધિઓ ઘરે નાના ખાનગી સમારંભમાં કરવામાં આવશે, અને ફક્ત પરિવારના સભ્યો જ લગ્નમાં હાજરી આપશે. તેમના સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વર-કન્યાને આશીર્વાદ આપવા આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular