નવજીવન ન્યૂઝ. પંજાબ: સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં રોજ મોટા ખુલાસા થઈ રહ્યા છે. પંજાબ પોલીસે હત્યાના કેસમાં લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા, રેકી કરવા અને ગુનેગારોને આશ્રય આપવાના આરોપસર આઠ લોકોની ધરપકડ કરી છે. હત્યાના કાવતરામાં કોણ કોણ સામેલ છે? રેકી કોણે કરી અને કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પંજાબ પોલીસે પહેલીવાર આ વાતનો ખુલાસો કર્યો છે. પોલીસે વધુ ચાર શૂટરોની ઓળખ કરી છે. ટૂંક સમયમાં જ તેમની ધરપકડ પણ કરવામાં આવશે.
એડીજીપી પ્રમોદ બાને જણાવ્યું હતું કે આરોપી પ્રભદીપ સિદ્ધુ ઉર્ફે પબ્બીએ જાન્યુઆરી 2022માં હરિયાણાથી આવેલા ગોલ્ડી બરાડના બે સાથીઓને આશ્રય આપ્યો હતો અને તેમના દ્વારા સિદ્ધુ મુસેવાલાના ઘર અને આસપાસના વિસ્તારોની તપાસ પણ હાથ ધરી હતી. ગોલ્ડી બરાડની સૂચનાથી મોનુએ બે શૂટર્સ પૂરા પાડ્યા હતા. ત્યારબાદ તેઓએ હત્યાને અંજામ આપવા માટે શૂટરોની ટીમને એકઠી કરવામાં મદદ કરી હતી.
તેમણે કહ્યું કે પવન બિશ્નોઇ અને નસીબે શૂટરોને બોલેરો વાહન સોંપ્યા હતા અને તેમને સ્થાન પણ પૂરું પાડ્યું હતું. દરમિયાન, એડીજીપી પ્રમોદ બાને જણાવ્યું હતું કે આઇજીપી પીએપી જસકરણ સિંઘની આગેવાની હેઠળની વિશેષ તપાસ ટીમ વ્યૂહાત્મક રીતે કામ કરી રહી છે અને આ ગુનામાં સંડોવાયેલા શૂટરો અને અન્ય આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસે આ ઘટનામાં સામેલ ચાર શૂટરોની પણ ઓળખ કરી છે. ગેંગસ્ટર વિરોધી ટાસ્ક ફોર્સના વડા પ્રમોદ બાને મંગળવારે જણાવ્યું હતું કે સંદીપ ઉર્ફે કેકડાએ ગોલ્ડી બરાડ અને સચિન થાપનની સૂચનાથી પોતાને ગાયકનો ચાહક ગણાવીને સિદ્ધુ મૂઝવાલાની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. તેણે કહ્યું કે, જ્યારે સિંગર તેની હત્યાની થોડી મિનિટો પહેલા જ પોતાના ઘરેથી નીકળી રહ્યો હતો, ત્યારે કેકડાએ સિંગર સાથે સેલ્ફી પણ લીધી હતી.
આ પછી, કેકડાએ હત્યારાઓને બધી માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે મનપ્રીત મન્નાએ મનપ્રીત ભાઉને ટોયોટા કોરોલા કાર પૂરી પાડી હતી. જેમણે ગોલ્ડી બરાડ અને સચિન થાપનના નજીકના સાથી સરજ મિન્ટુના નિર્દેશો પર શૂટર હોવાની શંકામાં બે વ્યક્તિઓને આ કાર આપી હતી.
ધરપકડ કરાયેલા લોકોની ઓળખ હરિયાણાના સિરસાના સંદીપસિંહ ઉર્ફે કેકડા તરીકે થઈ છે. તલવંડી સાબો (બઠિંડા)ના રહેવાસી મનપ્રીત સિંહ ઉર્ફે મન્ના, ગામ ડોડેપાઈ (ફરીદકોટ)ના મનપ્રીત ભાઉ, ગામ ડોડે કલસિયા (અમૃતસર)ના સરજ મિન્ટુ. તખ્તમલ (હરિયાણા)ના પ્રભદીપ સિદ્ધુ ઉર્ફે પબ્બી, હરિયાણાના સોનીપતના રેવલી ગામના મોનુ ડાગર, હરિયાણાના ફતેહાબાદના રહેવાસી પવન બિશ્નોઈ અને નસીબની પોલીસે ધરપકડ કરી છે.
સિંગર સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ પંજાબના માણસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુસેવાલા 29 મેના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે તેના પાડોશી ગુરવિંદર સિંહ અને ચેચેરેના ભાઈ ગુરપ્રીત સિંહ સાથે તેના ઘરેથી નીકળ્યો હતો. ત્યારે જ કેટલાક અજાણ્યા લોકોએ ગોળી મારીને તેની હત્યા કરી નાખી હતી. તે પોતાની મહિન્દ્રા થાર કાર ચલાવી રહ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











