Monday, June 29, 2026
HomeGeneralપાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શેહબાઝ શરીફ બિનહરીફ ચૂંટાયા, ઈમરાન ખાનની પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર...

પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શેહબાઝ શરીફ બિનહરીફ ચૂંટાયા, ઈમરાન ખાનની પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શેહબાઝ શરીફ બિનહરીફ ચૂંટાયા હતા, ઈમરાન ખાનની પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેના થોડા સમય પહેલાં જ સંસદમાં પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવાનું શરૂ થયું હતું. ઈમરાન ખાનને સત્તામાંથી હાંકી કાઢ્યા બાદ વડાપ્રધાન પદના દાવેદાર મનાતા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ શેહબાઝ શરીફ કટ્ટર યથાર્થવાદી છે અને વર્ષોથી સ્પષ્ટ વ્યક્તિ તરીકેની નામના મેળવી છે. ત્રણ વખતના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના 70 વર્ષીય નાના ભાઈ શેહબાઝ પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વના પંજાબ પ્રાંતના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી પીએમએલ-એન – ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ – વડા પ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સહ-અધ્યક્ષ આસિફ અલી જરાદ્રિએ સંયુક્ત વિપક્ષી બેઠકમાં વડાપ્રધાન પદ માટે શેહબાઝના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. શનિવારે મોડી રાત્રે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઇમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.



તહરીક-એ-ઇન્સાફના વડાપ્રધાન પદના ઉમેદવાર શાહ મહમૂદ કુરેશીએ વડાપ્રધાનની પસંદગી માટે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની ચૂંટણી પહેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીએ સંસદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. એઆરવાય ન્યૂઝના જણાવ્યા અનુસાર, ઇમરાન ખાને અગાઉ કહ્યું હતું કે તેઓ “ચોરો” સાથે ગૃહમાં બેસશે નહીં.

પાકિસ્તાનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના રાષ્ટ્રીય અધ્યક્ષ શહબાઝ શરીફ વિપક્ષના સંયુક્ત મોરચાના સૌથી મોટા ઉમેદવાર છે. પાકિસ્તાનમાં તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના સંસદીય દળની પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી માટે સંસદના નવા સત્ર પહેલા બેઠક મળી હતી. રેડિયો પાકિસ્તાનના જણાવ્યા અનુસાર આ બેઠક સંસદમાં યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને કરી હતી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular